વલસાડ ના ભાગડાવાડા માં નિયમો વિરૂદ્ધ ગેરકાયદે રોહાઉસ ઉભું કરી રોકડી કરી લેવા માટે ચોક્ક્સ તત્વો સક્રિય થયા છે ત્યારે આસપાસ માં રહેતા લોકો એ વિરોધ કરવાનું ચાલુ કર્યું છે.
સત્યડે અખબાર હવે આવા અનેક ગેરકાયદે મામલા બહાર લાવનાર છે, જેમાં ગ્રીનપાર્ક નો કોમન પ્લોટ અને મોદી નગર નો ખાલસા કરેલા પ્લોટ ના ગેરકાયદે મુદ્દે પણ મોટો ખુલાસો કરવામાં આવશે ,સત્યડે માં અહેવાલો છપાતા જ સબંધિત શકુનીઓ અને ચંડાળ ચોકડી માં સોંપો પડી ગયો છે અને જનતા માં અહેવાલો ની વ્યાપક અસર જોવા મળી છે.
ભાગડાવાડા સદરનગર-3ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી સર્વે નંબર 1729 માં 27 બંગલા નું ગેરકાયદે રોહાઉસ ઉભું કરવા બિલ્ડર ભલે હવાતિયાં મારી રહ્યા હોય પણ હવે જનતા જાગી ગઈ છે અને તેઓશ્રી ના પ્રયાસો કામ લાગવાના નથી આ અખબાર જનતા ને સપોર્ટ કરશે અને મલાઈ ખાનારા તમામ ના નામો ખુલ્લા પાડવામાં આવશે,સત્ય ને ઉજાગર કરવું એ અખબારી ધર્મ છે અને તે અમો નિભાવીશુ.
ભાગડાવાડા માં ખાસ કરીને મુસ્લિમો માટે વિવિધ સ્કીમ માં ડેવલપર્સ ખૂબ કમાયા છે ત્યારે આ પ્રોજેક્ટ માં પણ પૈસા બનાવવા શોર્ટ કટ રસ્તો અપનાવ્યો છે અને રહેણાંક સોસાયટી નો પ્લોટ લઈ તેમાં થી રસ્તો કાઢવાની ભેદી પ્રવૃતિ ચાલી રહી છે અને ગેરકાયદેસર 27 બંગલા નું રોહાઉસ ઉભું કરી વેચી ને કરોડો રૂપિયા કમાવાનો પ્લાન બનાવી રહયા છે.
વલસાડ ના ભાગડાવાડા માં સદરનગર-3ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી સર્વે નંબર 1729 માં ગેરકાયદે 27 બંગલા નું રોહાઉસ નું બાંધકામ શરૂ થાય તે પહેલાં જ વિવાદ માં આવી ગયું છે અને તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ભાગડાવાડા ગ્રામ પંચાયત માં મુસ્લિમો માટે ખૂબ મોટી સંખ્યામાં બાંધકામ ની સ્કીમો વિવિધ ડેવલપર્સ લાવ્યા અને બધી વેચાઈ પણ ગઇ છે ત્યારે હવે સ.નં
૧૭૨૯ સદરનગર૩ના સર્વે 285 ના પ્લોટ ધારક મકસુદ ટામેટા ના પ્લોટ નમ્બર 18 માંથી પાછળ ના પ્લોટ માં 27 બંગલા, રો હાઉસ નો આ પ્રોજેક્ટ માટે રસ્તો નથી અને રહેણાંક સોસાયટી નો પ્લોટ લઈ તેમાં થી રસ્તો કાઢવા માટે વાતો ચાલે છે જેને લઈ હવે મામલો ગુંચવાયો છે.
વલસાડ ના ભાગડાવડા માં બની રહેલા આ પ્રોજેકટ મુદ્દે સત્યડે અખબાર માં અહેવાલ આવતા જ જનતા જનાર્દન માં હવે આ પ્રોજેકટ અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે.
સત્યડે આ વિસ્તારમાં અન્ય વિવાદાસ્પદ ગેરકાયદે મામલા બહાર લાવશે જેમાં ગ્રીનપાર્ક ના કોમન પ્લોટ અને મોદી નગર ના ખાલસા કરેલા પ્લોટ નો મુદ્દો પણ ઉજાગર કરવામાં આવશે.