વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ મા અંદાજે 3.50 લાખ ની જીવનરક્ષક દવાઓનું વિતરણ કર્યું.
વલસાડ ના સમાજસેવક કૈલાશનાથ પાંડે દ્રારા તેમની પત્ની ની 16 મી પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા દ્રારા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ મા અંદાજે 3.50 બજાર કીંમત ની જીવનરક્ષક દવાઓનું વિતરણ કર્યું હતુ . વલસાડ જીલ્લા ભાજપ ના અગ્રણી અને સમાજસેવક કૈલાશનાથ પાંડે ની પત્ની સ્વ. મીનાબેન પાંડે નું 12 ઓગસ્ટ 2001 મા નિધન થયુ હતુ જે બાદ તેમની દર પુણ્યતિથી નિમિત્તે તેમના અને તેમના પરિવાર દ્રારા જીવનરક્ષક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આજરોજ વલસાડ નગરપાલિકા દ્રારા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે આવતા જરૂરિયાત દર્દીઓ ની પડખે ઉભા રહી સ્વ. મીનાબેન પાંડે ની 16 મી પુણ્યતિથિ નિમિત્તે મેલેરિયા,હાર્ટ,ડેન્ગ્યુ,અને અન્ય ગંભીર રોગો મા ઉપયોગી જીવનરક્ષક દવાઓ તેમજ 2000 ગ્લુકોઝ બોટલો નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
વલસાડ વિસ્તાર ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ,વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ,વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી,મૌલાના શ્રી અબ્દુલ અઝીઝ,વલસાડ ઉતરભારતીય સમાજ ના આગેવાન રામસાગર ત્રિપાઠી,આર.આર. મિશ્રા,નગરપાલિકા કારોબારી ચેરમેન પંકજ આહીર,હોસ્પિટલ કમિટી ના ચેરમેન સોહેલ કાદરી,ડ્રેનેજ કમિટી ના ચેરમેન ઝાકિરભાઈ પઠાણ,સેનેટરી કમીટી ના ચેરમેન ધર્મેશભાઈ ડાંગ,નગરપાલિકા ના સિનિયર સભ્યો,શશીભાઈ શેઠિયા,પ્રવીણભાઈ કચ્છી,કીરણભાઈ ભંડારી,રમેશભાઈ ડેની,અગ્રણી સમાજસેવક પંકજભાઈ મિસ્ત્રી,ડો.યોગીનીબેન રોલેકર, ઉપસ્થિત રહી આ સેવાકાર્ય ને બિરદાવ્યા હતા. આ તબકૈ વલસાડ,નવસારી એમ.આર.એસોસિએશન ના સભ્યો એ પણ દવા વિતરણ કાર્યક્રમ મા સાથ સહકાર આપ્યો હતો.