વલસાડ ખાતે મંત્રી ગણપત વસાવા ના અધ્યસ્થાન હેતળ મોંઘાભાઈ હોલ ખાતે – શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યક્રમ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષા ના અધિકારી ધારા સભ્ય , પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ ની શરૂઆત માં અમરનાથ યાત્રી ના મૃતકો ની આત્માની શાંતિ માટે શ્રધજલી આપી ભગવાન નું નામ લઇ દીપ પ્રગટાવા માં આવ્યું હતું જે સમયે આપડા પ્રાંત અધિકારી શ્રી કે.જે ભાગોરા ભાન ભૂલી પગ માં જૂતા પેહળી દીપ પ્રગટાવા સ્ટેજ પર પોહચી જતા ઉપસ્થિત શ્રમિકો આશ્રય માં મુકાયા હતા , કારણ કે એક તો 12 દિવસ અગાવ પાલિકા પ્રમુખ અને ધારા સભ્ય પોતાની છબી પેપર ના પાને ચમકે એ માટે જાણે બાપનો રાજ હોય એમ – શ્રમિક અન્નપૂર્ણા યોજન હેતળ મોંઘા ભાઈ હોલ બહાર મુકવામાં આવેલ સ્ટોલ નું રીબીન કાપી ઉદ્ઘાટન કરી નાખ્યું હતું એ મુદ્દે સોસીયલ મીડિયા માં વિરુદ્ધ પક્ષ ના અગ્રણી પાલિકા ની સેમ-સેમ કરી હતી ત્યારે ફરી આ કરીકર્મ 12 દિવસ બાદ બીજી વખત લોકાર્પણ કરવામાં આવતા પ્રાંત અધિકારી સાહેબ સ્ટેજ પર જૂતા પેહળી દીપ પ્રગટાવા પોહચી જતા શિકક્ષિત ભારત નું સુ આ નમૂનો બહાર પડશે એ ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.