વલસાડની ઔરંગા નદીમાં આજરોજ મોટી સંખ્યામાં મૃત માછલીઓ ના મોત થતા નદીમાં કેમિકલ છોડવામાં આવ્યું હોવાની વાત વહેતી થઈ છે. વલસાડ ના ભાગડાખુર્ડ ગામ નજીક ઔરંગા નદી માં મોટી સંખ્યામાં મૃત અવસ્થામાં માછલીઓ તણાઈ આવી છે.સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા.
જોકે આ ઘટના બાદ સંબંધિત વિભાગ દ્વારા કોઈ ધ્યાન નહિ અપાતા અહીં રોગચાળા ની દહેશત વચ્ચે ગ્રામજનો દ્વારા માછલીઓ ના આ રીતે મોટા પાયે મોત થવા અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગણી ઉઠી રહી છે.
ઔરંગા નદી માં કેમિકલ છોડવા મામલે અગાઉ પણ ફરિયાદો ઉઠી ચુકી છે.
Sunday, May 19