કોરોના ની હાડમારી ફાટી નીકળી છે જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત નથી અને છેલ્લા દિવસો માં વલસાડ જ નહીં બલ્કે વલસાડ જિલ્લા માં કોરોના નો જાણે બૉમ્બ ફાટ્યો હોય તેમ એકપછી દર્દીઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ગતરોજ માત્ર એકજ દિવસ માં જિલ્લા માં 27 કેસો નોંધાતા હડકંપ મચ્યો છે ત્યારે સત્ય મીડિયા હાઉસ ના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માં એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને તે છે સરકારી ખાતા દ્વારા કોરોના પોઝીટીવ ને નેગેટીવ કરી દેવાનો મામલો.
જીહા, આ સત્ય હકીકત છે અને સત્યડે ના ઇન્વેસ્ટિગેશન માં આ બાબત નો ખુલાસો થયો છે અને આવીજ ગંભીર બેદરકારી ને કારણે કદાચ કોરોના સ્પ્રેડ થઈ રહ્યો હોવાની શક્યતા નકારી શકાતી નથી. વલસાડ વાસીઓ માટે ચોંકાવનારા આ સમાચાર આપને વિચારતા કરી મૂકે તેમછે, વલસાડ માં હાલ કોરોના ના ટેસ્ટ થઈ રહ્યા છે જેમાં એક કોરોના પેસ્ટન્ટ ને તપાસ કરી નેગેટિવ નું ડિસ્ચાર્જ સર્ટીફીકેટ આપી દેવામાં આવે છે અને તેજ કોરોના નેગેટીવ દર્દી આરોગ્ય વિભાગ ના રિપોર્ટ માં કોરોના પોઝીટીવ બતાવે છે ત્યારે આટલી મોટી મિસ્ટેક ને લઈ સંભવિત કોરોના દર્દી સાથે એકજ ઘર માં રહેતા સભ્યો અને સોસાયટી ના લોકો સામે ખતરો ઉભો થયો છે, આ વિવાદાસ્પદ કેસ માં સિવિલ અથવા આરોગ્ય વિભાગ બંને માંથી એક ખોટું હોઈ શકે છે. પરંતુ આટલી મોટી બેદરકારી ને લઈ દર્દી અને તેમના ઘરના સભ્યો માટે મોટું સંકટ આવી પડ્યું છે ત્યારે સરકારી લાલીયાવાડી સામે કોણ એક્શન લેશે તે પણ એક સવાલ છે અને આવા બેજવાબદારો જ વલસાડ માં કોરોના ફેલાવી રહ્યા હોવાનું સપાટી ઉપર આવતા સનસનાટી મચી ગઇ છે, ત્યારે આરોગ્ય વિભાગ અને સિવિલ ના રીપોર્ટ માં આવેલા ડિફરન્ટ ને લઈ ભારે સનસનાટી મચી ગઇ છે.
વલસાડ ના તિથિલ,સેગવી રોડ સ્થિત સૂર્યદર્શન સોસાયટી માં આ મામલો સામે આવ્યો છે અને આ મેટરે ભારે ચકચાર જગાવી છે અહીં રહેતા 40 વર્ષીય દિવ્યેશ ભાઈ હેમંતભાઇ દેસાઈ ને શંકાસ્પદ કોરોના ના લક્ષણો જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને તેઓએ કોરોના ને મ્હાત આપી સાજા થઈ જતા સિવિલ હોસ્પિટલ ખાતે થી નેગેટીવ રિપોર્ટ સાથે ડિસ્ચાર્જ કરી દેવાયા હતા અને દિવ્યેશભાઈ પોતાના ઘરે આવી ગયા હતા તેઓ નો રિપોર્ટ નેગેટિવ આવતા તેમના પરિવારજનો અને સોસાયટીમાં રહેતા તમામ ખુબજ ખુશ થઈ ગયા હતા અને આનંદ ની લાગણી અનુભવી હતી અને બધા એકબીજાને મળ્યા હતા પરંતુ ત્યારબાદ આરોગ્ય વિભાગ વાળાઓ એ આજ દિવ્યેશ ભાઈ દેસાઈ કોરોના પોઝીટીવ હોવાનો ધડાકો કરી તેમને કોરોન્ટાઇન કરવા આવતા ભારે હંગામો મચી ગયો હતો અને તે વખતે દિવ્યેશ ભાઈ એ પોતાની પાસે રહેલ સિવિલ નું નેગેટીવ રિપોર્ટ નું પ્રમાણ બતાવ્યું હતું પરંતુ આરોગ્ય ના રીપોર્ટ માં તેમનું નામ કોરોના પોઝીટીવ માં ક્રમ નંબર 6 ઉપર બતાવતા સિવિલ અને આરોગ્ય ના જુદા જુદા અભિપ્રાય વચ્ચે સોસાયટી ના રહીશો અને પરિવારજનો તેમજ ખુદ દર્દી દિવ્યેશ ભાઈ ચિંતા માં મુકાઈ ગયા હતા અને બન્ને માંથી સાચો રિપોર્ટ કયો માનવો તે મુદ્દે મોડે સુધી મથામણ ચાલી હતી માની લો કે નેગેટિવ છે તો વાંધો નહિ પરંતુ જો દર્દી પોઝીટીવ નીકળે તો પરિવારના તમામ સદસ્યો અને સોસાયટીમાં તેમના સીધા સંપર્કમાં આવેલા લોકો ની શુ હાલત થાય તે વાત ખુબજ ગંભીર છે ત્યારે સરકારી તંત્ર નિર્દોષ લોકો ની જિંદગી સાથે ચેડાં કરવાનું બંધ કરી ગંભીરતા દાખવે તે જરૂરી છે અન્યથા નાનકડા વલસાડ ટાઉન માં કોરોના બેકાબુ થતા કોઈ નહિ રોકી શકે અને આ પ્રકરણ માં તરતજ તપાસ થાય અને ભૂલ કરનાર જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.