વલસાડ શહેર અને જિલ્લા માં રેમડેસિવિર ઈન્જેકશન બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂરી એવા પ્લાઝમાની અછત સર્જાવા ઉભી થતા પ્લાઝ્મા ડોનરો ને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરવામાં આવી છે.
કોરોનાગ્રસ્ત દર્દીને જલ્દીમાં જલ્દી સાજા કરવા અને ગંભીર સ્થિતિમાંથી બહાર લાવવા દવા, ઇન્જેક્શનો સાથે પ્લાઝમાનો પણ સહારો લેવામાં આવે છે. પ્લાઝમા દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીના શરીરમાં કોરોના સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબોડી વધે, તે માટે પ્લાઝમા થેરાપીની સારવાર આપવામાં આવે છે. પરંતુ હાલ દવા અને ઇન્જેક્શનની જેમ કોવિડ પ્લાઝમાની પણ વલસાડ માં તીવ્ર અછત સર્જાઇ છે. કારણકે જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. જેને કારણે પ્લાઝમા ડોનર પૂરતા પ્રમાણ માં મળતા નહિ હોવાની બૂમ ઉઠવા પામી છે.
વલસાડ માં પ્લાઝમા ડોનેટ કરવા માટે દાતાઓ આગળ આવે તે જરૂરી છે.
આવી વ્યક્તિઓ પ્લાઝમા ડોનેટ કરી શકે?
— કોરોના થયાના 28 દિવસ બાદ
–કોરોના થયાના 4 મહિના સુધી ડોનેટ કરી શકાય
— 50 કિલોથી વધુ વજન હોવુ જરૂરી
— 18 થી 60 વર્ષની ઉંમર હોવી જોઈએ
–અગાઉ કોરોના સંક્રમણ થયું હોવું જોઇએ
— માત્ર રસી લીધી હોય તેઓ ડોનેટ નહીં કરી શકે
–કોરોના થયાંના 6 મહિનાની અંદર રસી લીધી હોય તો, રસી મુકાવ્યાના 28 દિવસ પછી ડોનેટ કરી શકાય
–આઈસીએમઆર ની ગાઈડ લાઈન મુજબ લેવામાં આવે છે
— 400 થી 420 એમ.એલ. પ્લાઝમા લેવામાં આવે છે
–200 એમ.એલ. ની એક પ્લાઝમા બેગ હોય છે
— જાન્યુઆરી, 2021 થી માર્ચ, 2021 સુધી સંક્રમિત વ્યક્તિ કરી શકે છે, ડિસેમ્બર, 2020 સંક્રમિત થયેલા વ્યક્તિમાં પણ એન્ટીબોડી હોય શકે છે.
હાલ માં વલસાડ જિલ્લામાં કોરોના ની સારવાર માં અતિ જરૂરી ગણાતા પ્લાઝ્મા ની અછત ઉભી થતા ડોનરો ને દાન માટે અપીલ કરાઈ છે.
વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે પ્લાઝમા ડોનેટ કરી શકાય છે, જ્યાં અમેરિકન જૂનું મશીન હોય તે મુજબ ની જૂની મોંઘી કિટો ને લઈ 8000 જેટલો કીટ નો જ ખર્ચ આવતો હોય પ્લાઝ્મા દર્દીઓ ને 11000 થી લઈ 12 000 કે તેની આસપાસ ખર્ચ આવતો હોય છે જોકે,હાલ ના ન્યુ અપડેટ મશીન્સ માં 5000 કે 6000 માજ પ્લાઝમા મળી જતા હોય છે તેથી તેની કિંમત માં મશીન ઉપર આધાર રહેતો હોય છે.
પણ અમૂલ્ય જીવન માટે કોરોના ની સારવાર માટે પ્લાઝ્મા એક અગત્ય ની સારવાર સાબિત થઈ રહી છે.
ત્યારે વલસાડ માં હાલ પ્લાઝમા ની અછત ઉભી થતા દાતાઓ ને અપીલ કરાઈ છે.
નોંધનીય છે કે કોરોના પોઝિટિવ દર્દીઓને શરૂઆતના સમયમાં જ પ્લાઝમા ચઢાવવામાં આવે તો તેની સારી અસર આવે છે. AB બ્લડ ગ્રુપવાળાનું પ્લાઝમા દરેક ગ્રૂપના દર્દીઓને આપી શકાય છે. એ ખૂબ જ સારી વાત છે. પ્લાઝમાં ડોનર 5 મહિના સુધી દર 15માં દિવસે પ્લાઝમા ડોનેટ કરી શકે છે. ડોનેટ લીધેલા પ્લાઝમા 1 વર્ષ સુધી સાચવી શકાય છે. 3 કરતા વધારે વાર પ્લાઝમા ડોનેટ કરવાવાળા 10-15 કોરોના વોરિયર્સોએ અનેક દર્દીઓના જીવ બચાવવામાં મદદ કરી છે એ સાચા કોરોના વોરિયર્સ તરીકે ઓળખાય રહ્યા છે.