વલસાડ જિલ્લા માં કોરોના નું સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર અને વેપારીઓ અને પ્રાંત અધિકારીઓ ની તાત્કાલિક મળેલી બેઠક માં લસાડ શહેર માં કોરોના સંક્રમણ રોકવા માટે અગત્ય નો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં વલસાડ શહેર માં આવેલી તમામ દુકાનો સવારે 8 વાગ્યા થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે
8 વાગ્યા બાદ તમામ વેપારીઓ દ્રારા સ્વૈચ્છિક દુકાન બંધ કરશે
15 દિવસ સુધી દુકાનો 8 વાગ્યા બાદ બંધ કરવાનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર અને વેપારીઓએ સર્વાનુમતે આ નિર્ણય લેતા આંશિક લોકડાઉન પાળવામાં આવશે.વલસાડ શહેરમાં કાપડ બજાર, દાણા બજાર, જવેલર્સ સહિત તમામ વેપારીઓ સાથે પ્રાંત અધિકારીએ શનિવારે એક બેઠક બોલાવી હતી. જેમાં શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને શહેરના વેપારીઓને સંક્રમણ અટકાવવા એક અપીલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની અપીલના આધારે વલસાડ શહેરના તમામ વેપારીઓએ રાત્રે 8 વાગે દુકાન બંધ કરવાનો તમામ મંડળના વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે.