વલસાડ જિલ્લા માં દિવાળી ઉપર ફટાકડા ફોડવા માટે માર્ગદર્શિકા તૈયાર થઈ છે જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે, વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર આર.આર.રાવલે રાજ્યના ગૃહ વિભાગ અને સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્દિષ્ટ કરાયેલા હુકમને ધ્યાને લઇ દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન વલસાડ જિલ્લામાં ફટાકડાના વેચાણ અને ખરીદ ઉપર નિયંત્રણો લાદ્યા છે.આ હુકમનો અમલ 11 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કરવાનો રહેશે તેવી તાકીદ પણ કરાઇ છે.
જે મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર પીઇએસઓ સંસ્થા દ્વારા માન્ય બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે તેવો હુકમ કરાયો છે.અધિકૃત ફટાકડાના દરેક બોક્ષ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું આવશ્યક રહેશે.આ હુકમોનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 અને જીપી એક્ટ કલમ-131 હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.
સાથેજ જાહેર સ્થળો જેવાકે હોસ્પિટલો,નર્સિંગ હોમ,આરોગ્ય કેન્દ્રો,શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય,ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારોને સાયલન્ટ ઝોન ઉપરાંત જાહેર રોડ, બજારો,શેરી,મહોલ્લા,ગલી,જાહેર રસ્તા,પેટ્રોલ પંપ,એલપીજી બોટલિંગ પ્લાન્ટ,એલપીજી ગેસ સ્ટોરેજ,અને અન્ય સળગી ઉઠે તેવા પર્દાથો સંગ્રહિત હોય તેવા ગોડાઉનની નજીક ફોટાકડા ફોડી શકાશે નહિ અને ટુકકલ કે બલૂન ઉડાડવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે.
Saturday, May 4