વલસાડ માં તંત્ર વારંવાર દબાણ કરતા ફેરિયાઓ અને ગરીબો ના પાથરણા લારીઓ ઉપાડી લઈ જબરદસ્ત અભિયાન ચલાવે છે સારી વાત છે દરેક ને કાયદા નું પાલન કરવું જોઈએ અને નિયમ મુજબ જ રહેવું જોઈએ પણ બીજી તરફ ગેરકાયદેસર બાંધકામો કરી નિયમ વિરુદ્ધ નિયમો ના ધજાગરા ઉડાવી પેનલટીપાત્ર કામો કરે તેમ છતાં તેઓ ને જ્યારે પંપાળવા માં આવે અને જ્યારે હેત વરસાવે ત્યારે સો ટકા એવું લાગે કે ગરીબો માટે અને પૈસાવાળા અને લાગવગીયાઓ વચ્ચે મોટું અંતર છે. શા માટે નિયમભંગ કરનારાઓ સામે દાખલો બેસે તેવા પગલાં ભરવામાં આવતા નથી.
વલસાડ માં આવુ બન્યું છે અને અનેક આવા કિસ્સા છે જે પૈકી એક ઉદાહરણ માં તો બિલ્ડરે નિયમ પ્રમાણે એંવાયર મેન્ટ ની પરમિશન વગર જ બાંધકામ ઉભું કરી દીધું અને પછી પરમિશન લીધી તે વાત ગંભીર છે જો નિયમ નો ભંગ થયો તો શા માટે બિલ્ડર ને દંડ ન કરવામાં આવ્યો તે વાત મુદ્દા ની છે.
વલસાડ માં ચમત્કાર સર્જાયો છે અને બિલ્ડીંગ ની પરમિશન મળ્યા બાદ રાતોરાત મોટું બાંધકામ ઉભું થઈ જતા રહસ્ય સર્જાયું છે.આ જાદુગરો ની ટોળકી માં કોણ કોણ કલાકારો છે તે પણ તપાસ નો વિષય છે.
વલસા માં ગેરકાયદે બાંધકામો કરનારાઓ હવે સત્યડે ના રડાર માં છે અને આ અખબાર માં અગાઉ છપાયેલો અહેવાલ આખરે સત્ય સાબિત થયો છે આ અખબાર માં છપાયેલા સુમુખ ટાઉનશીપ ના ગેરકાયદે રીતે એટલે કે એંવાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ની પરમિશન વગર જ ધબેડી દેવાયેલા મસમોટા બાંધકામ ના અહેવાલ માં સત્ય બહાર આવી ગયું છે જોકે, દેશ માં કાયદા બધા માટે સરખા હોય છે અને દરેક ને કાયદા મુજબ નિયમ મુજબ જ કામો કરવા પડતા હોય છે અન્યથા દંડ કે સજા ની જોગવાઈ મુજબ કાયદો કાયદા નું કામ કરે છે પણ આ મામલા માં બિલ્ડર મહાશય ખોટા હોવાછતાં તેઓ એ પોતાની કળા થી જવાબદાર વિભાગ ના સબંધિતો ને પોતાના તરફે કરી લઈ બિલ્ડીંગ નું બાંધકામ કર્યા બાદ પરમિશન મેળવીને ખરેખર જાદુ કરી લીધો છે.
વલસાડ માં સુમુખ ટાઉનશીપ ની નગરપાલિકા માંથી જેતે વખતે 53462 ચોમી ની પરમિશન મળી તે સમયે પરમિશન વગર તેનું પેનલટીપાત્ર બાંધકામ થઈ જતા સત્યડે માં એંવાયરમેન્ટ વિભાગ ની પરમિશન લેવામાં આવી નહિ હોવા અંગે રિપોર્ટ છપાયો હતો જોકે,સબંધિત વિભાગે આ અહેવાલ ની નોંધ લીધી ન હતી અને ગેરકાયદે બાંધકામ સામે આંખે પાટા બાંધીને તમાશો જોયો હોવાનું જણાયું હતું. જોકે બિલ્ડરે પેનલટીપાત્ર બાંધકામ કર્યાં બાદ 2-8-2021 ના રોજ EC માટે એપ્લિકેશન આપી હતી એ અગાઉ આ અખબારે તંત્ર નું ધ્યાન દોર્યું હતું પણ તેને એવોઇડ કરવામાં આવ્યું અને હવે છેક અડધું બિલ્ડીંગ ઉભુ થયું ત્યારે તા. 9 ડિસેમ્બર ના રોજ પરમિશન મળી તે વાત એથી પણ વધુ ગંભીર છે કારણ કે પેનલ્ટી માર્યા વગર જ પરમિશન મળી ગઈ તે વાત કોઇ જાદુ થી કમ નથી.
હવે સવાલ એ ઉભો થાય છે કે જે કંપની કન્સલ્ટનસી કરે છે તે શું ઉપર આવાજ રિપોર્ટ કરતી હશે ? અને જો આવું જ હોય તો આવા તો કેટલાય પ્રોજેક્ટ માં આવી ગોલમાલ અને બધું અદ્ધર કામ થતું હશે તે ખુબજ ચોંકાવનારી બાબત છે.
સત્યડે અખબાર માં અગાઉ છપાયેલા રિપોર્ટ અને બાદમાં મળેલ પરમિશન ની નકલ અહીં પ્રસ્તુત કરી છે જેના ઉપર થી વાંચકમિત્રો જાતે જ સમજી શકશે કે સત્ય શુ છે ? વગદાર સામે પગલાં કેમ પગલાં લેવાતા નથી અને કેમ કોઈ નિયમો લાગતા નથી તે વાત વિચાર માંગી લે તેવી છે.
જો,ખરેખર જવાબદાર વિભાગ ને જરા પણ શરમ જેવું હોય તો આ મેટર માં પારદર્શક તપાસ કરી તેમાં સંડોવાયેલાઓ સામે પગલાં ભરે તો આવા ગેરકાયદે કામો ઉપર બ્રેક લાગશે તે નક્કી છે અન્યથા જનતા ને સીસ્ટમ ઉપર થી ભરોસો ઉઠી જશે તે વાત નક્કી છે.