વલસાડ ન્યુ શાકભાજી માર્કેટ માં શાકભાજી વેચાણ કરતા નાના-મોટા વેપારીઓભાભેગા મળી તેમની માંગ તંત્ર સુધીપોહ્ચે અને તેમને યોગ્ય ન્યાય મળે તેમાટે આજરોજ એક પત્રકાર પરિસદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમય થી શાકભાજી માર્કેટ તથા તેના આજુબાજુ વિસ્તારોમાં ગામડા થી ગરીબ પરિવાર પોતાની રોજીરોટી માટે વહેલી સવારથી શાકભાજી નું વેચાણ કરતા હોય છે જેના માટે શાકભાજી માર્કેટ ના તમામ વેપારીઓ મેહનત કરતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમય થી વલસાડ શહેર તથા આજુબાજુ વિસ્તારોમાં જેવાકે કલ્યાણબાગ સર્કલ,આવાંબાઇ સ્કૂલ નજીક,હાલાર વિસ્તાર માં , માં ગેરકાયદેસર રીતે બીલીમોરા ના સરદાર વેપારીઓ માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શાકભાજી નું વેચાણ કરતા આવ્યા છે જયારે શાકભાજી માર્કેટ ના વેપારીઓ ને હેરાન કરી આઠવાડિયા માં 1500થી વધુ નો દંડ ફટકારતા હોય છે સાથે શાકભાજી માર્કેટ ની અંદર ના ભાગે છેલ્લા ઘણા સમય થી વલસાડ નગરપાલિકા દ્વારા પાકી ગટર લાઈન નાખવામાં નિષ્ફય ગયા છે અને શાકભાજી માર્કેટ ની બહાર લગભગ 2000થી વધુ વેપારીઓ રસ્તા પર પાથરણા લખી શાકભાજી વેચાણ કરતા હોય છે જેની પર દરરોજ વલસાડ નગરપાલિકા એક માસ ની અંદર 30લાખ થી વધુ નો રકમ વસુલે છે છતાં પાલિકા ની મીલીભગત માં ટ્રાફિક પોલીસ જાણી જોઈ ને આવા નાના વેપારીઓ ને હેરાન કરતી હોય છે ત્યારે શાકભાજી માર્કેટ ના વેપારી પ્રમુખ રાજુભાઈ પટેલ ( રજુ મરચા )ના જણવ્યા મુજબ જો આગામી તારીખ 2 જાન્યુઆરી સુધી તેમની માંગ ન સંતોષાય તો તેવો વલસાડ શહેરના ટ્રાફિક પોઇન્ટ આઝાદ ચોક અને પાલિકા કચેરી બહાર માર્કેટ બનાવી પાથરણા નાખી શાકભાજી વેચવા બેસી જવાની ચમકી આપી હતી

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.