વલસાડ શહેર નજીક સૌથી નજીક ગણાતા ભાગડાવડા ગ્રામ પંચાયત હદ માં ભારે વિકાસ થયો છે ત્યારે અહીં રહેણાંક હેતુ ની ડિમાન્ડ વધતા અનેક પ્રોજેકટ ઉભા થયા અને ધૂમ વેચાઈ પણ ગયા સાથેસાથે ગેરકાયદે બાંધકામો માટે અહીં ફરિયાદો પણ ઉઠી છે.વલસાડ શહેર ની સૌથી નજીક હોઈ રહેણાંક સોસાયટીઓ ની ડિમાન્ડ વધતા પ્રોજકટ ની ભરમાર વધી છે ત્યારે મુસ્લિમ વસ્તીનો પણ અહીં મોટા પ્રમાણ માં વ્યાપ વધતા તેઓ અહીં રહેવાનું વધુ પસંદ કરતાં હોય પોતાના સપના નું ઘર ખરીદવા અહીં પસંદગી ઉતારતા અહીં ગ્રીનપાર્ક, કરીમનગર, સદર નગર ,ઝીનત નગર વગેરે ખુબજ સફળ રહ્યા છે બાદ માં આ વિસ્તારમાં મોદી નગર પણ પ્રપોઝ થયું અને ત્યાં પણ પ્રોજેકટ થાય તે પહેલાં ભાગીદારો ના આંતરીક કલેશ ઉભો થતા આ પ્રોજેકટ માં ઇન્વેસ્ટરો ના ધૂમ રોકાણ બાદ પણ મોદી નગર ની જમીન તંત્ર દ્વારા શ્રી સરકાર ના હસ્તક ચાલી ગઈ છે,પરંતુ આ સરકાર હસ્તક ની જમીન માં કેટલાક રોકાણકારો એ વગર ટાઇટલ, વગર પરવાનગી એ બંગલા ઓ બનાવી દેતા હવે આ બંગલા હાલ ભારે વિવાદ નું કારણ બન્યા છે. આવાજ એક બંગલા ધારી ની હિંમત વધી અને અન્ય ગેરકાયદે બાંધકામો તરફ નજર દોડાવી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે જેથી શંકાઓ એવી ઉઠી રહી છે કે કોઈ રાજકીય વગ ધરાવતો ઈસમ આખા પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક હવા આપતો હોવાની ચર્ચા ઉઠવા પામી છે ત્યારે આ ઈસમ કોણ છે અને તેમાં તેનું ઈંવોલ્ટમેન્ટ કેટલું કેમ ?ક્યાંક તેની ભાગીદારી છે કે કેમ ? કે પછી સિક્યોરિટી આપી રહ્યો છે તે વાત તપાસ નો વિષય બની ગઈ છે.
રાજકીય વગ વાપરી સરકારી જમીનો ઉપર બાંધકામો કરનારા સાથે ફરતો શખ્સ હવે શંકા ના ડાયરા માં આવી ગયો છે ત્યારે હવે આ પ્રકરણ તપાસ નો વિષય બન્યું છે.
મોદી નગર માં સરકાર હસ્તક ચાલી ગયેલી જમીન છતાં બાંધકામ ની હિંમત કરનારાઓ સામે હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે હવે ભાગડાવડા સદરનગર -3 ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટ ધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી ગેરકાયદે સર્વે નંબર 1729 માં 27 બંગલા બનાવવા હિલચાલ શરૂ થઈ તેજ બતાવે છે કે વલસાડ ના નપાણીયા તંત્રમાં કોઈ દમ નથી અગાઉ બની ગયેલા બાંધકામો માં તંત્ર ની શુ ભૂમિકા છે તે પણ ઉપરીઓ તપાસ કરશે તો સેટિંગ ડોટ કોમ ના વહીવટ બહાર આવવાની પુરી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.