વલસાડ માં ભારે ચકચાર જગાવનાર કલ્યાણબાગ સામે ના ટ્રાફિક સર્કલ તોડનોમામલો હવે માજી ધારાસભ્ય દોલતભાઈ દેસાઇ પાસે પહોંચ્યો છે.માજી ધારાસભ્યએ આ મુદ્દે વડાપ્રધાન અને મુખ્યમંત્રી ને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે,ગત તા.21 ડિસેમ્બરે રાત્રે વહીવટી તંત્રએ મોરારજી દેસાઇ સર્કલ તોડી પાડ્યા બાદ વલસાડમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા.
સર્કલ તોડવાની ઘટના બાદ હવે માજી ધારાસભ્ય દેસાઇએ સ્વ.મોરારજી દેસાઇના નામ સાથે જોડાયેલા સર્કલ માટે તેમણે પોતાની પ્રતિક્રિયા માં એક પત્ર જારી કરી જણાવ્યું છે, વલસાડના કલ્યાણબાગ ચાર રસ્તા પર આવેલું સર્કલ 21 વર્ષ પહેલા જરૂરી વિભાગની મંજૂરી લઇને લોકભાગીદારીથી નિર્માણ કરાયું હતું.આ સર્કલ ચોકની વલસાડના પનોતા પૂત્ર મોરારજી દેસાઇના નામથી ઓળખ ઊભી કરવામાં આવી હતી.આ સર્કલ માટે વધુમાં તેમણે જણાવ્યું કે, અધિકારીઓ, નગરપાલિકાના વહીવટકર્તાઓ સાથે બેસીને સુવ્યવસ્થિત આયોજન કરી સર્કલને નવું રૂપ આપી શકાયું હોત.શહેરના મુખ્યમાર્ગનો ચાર રસ્તા આગળનો ચોક હોવાથી તેની નજીક મોરારજી દેસાઇ ડિજિટલ મ્યુઝિયમ અને પર્યટકો માટે રેલવે સ્ટેશન,એસટી ડેપો તથા નેશનલ હાઇવેનો જોડતો રસ્તો હોય આ સર્કલ વલસાડના નાક સમાન છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવું માજી ધારાસભ્યએ જણાવ્યું હતું.સર્કલની વિધાનસભાએ નોંધ લીધી હતીકલ્યાણબાગની સામે ટ્રાફિક સર્કલ ઉપર મોરારજી દેસાઇની મૂકવા તે સમયે વિધાનસભામાં રજૂઆત કરતા નગરપાલિકાએ ઠરાવ કરીને કાર્યવાહી કરવા અંગે વિધાનસભાએ નોંધ લીધેલી છે.હવે આ સર્કલ પર મોરારજી દેસાઇની પ્રતિમા મૂકવા અને સાનુકૂળ સર્કલ બનાવવા તેઓ એ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હવે ફરી એકવાર સર્કલ ચર્ચા નો મુદ્દો બન્યું છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.