વલસાડ માહિતી બ્યુરોઃ તા.૦૫: દીન દુઃખી નિરાધાર વિધવા બહેનોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા સંવેદનાપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગરીબ-લાચાર કે વયોવૃદ્ધ નિરાધાર વિધવાઓ આપની જાણમાં હોય અને આવી સરકારી પેન્શન યોજનાથી વંચિત હોય તો શ્રીમતી કમુબેન અને શ્રીમતી કુમુદબેન પટેલ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ બી-કલ્પકૃતિ એપાર્ટમેન્ટ, સોનાનગર રોડ, ધરમપુર રોડ, અબ્રામા વલસાડનો ફોન નંબર ૯૬૩૮૮૨૨૭૭૬ ઉપર સંપર્ક સાધવા ટ્રસ્ટના શ્રી આર.જે.પટેલ (નિવૃત્ત કલેક્ટર) દ્વારા જણાવાયું છે. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્ય વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. આપની જાણમાં કે આજુબાજુમાં રહેતા આવા ગરીબ લાભાર્થીઓને લાભ મળી રહે તેવા શુભ કાર્યમાં જોડાવા આ સરનામે સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા આજદિન સુધીમાં નવસારી, ચીખલી, ખેરગામ, વાંસદા વગેરે તાલુકાઓમાંથી ૭ હજાર જેટલા લાભાર્થીઓને લાભ અપાવ્યો છે. આ ટ્રસ્ટમાં સેવાભાવી યુવાનો, નિવૃત્ત કર્મચારીઓ જોડાઇને કાર્ય કરી રહ્યા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.