વલસાડ માં ડીજે સંચલોક અને પોલીસ તંત્ર આમને-સામને
વલસાડ શહેર માં છેલ્લા ઘણા સમય થી ગણપતિ વિસર્જન ના ડીજે મુદ્દે સંચાલક-આયોજક-અને પોલીસ તંત્ર ની ગાડી એકજ પાટા પર ચાલતી હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે,જેમ-જેમ વિસર્જન ના દિવસ નજીક આવી રહ્યા છે તેમ-તેમ ડીજે સંચાલકો અને ગણેશ મંડળો ના સભ્યો પોલીસ મથક માં ડીજે વગાડવા મુદ્દે અવર-નવર લેખિત મૌખિક રજુઆત કરી ડીજે વગાડવા મુદ્દે આજીજી કરી રહ્યા છે છતાં પોલીસ તંત્ર તેમના લીધેલ ફેસલા પર અડીખમ રહી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને જો કોઈપણ મંડળ ના અગેવનો ડીજે વગાડવા મુદ્દે અપમાન્ય વર્તન રાખશે તેનું ડીજે જપ્ત કરવામાં આવશે અને જો કોઈપણ ડીજે 40હોર્સ થી વધુ વોઇસ થી વગાડતા માલુમ પડશે તો આયોજકો અને ડીજે સંચાલક વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી દંડ વસુલવાની ચમકી ડી.વાય.એસ.પી ઝાલા અને સી.ટી.પી.આઈ પરમાર એ આપી છે, ત્યારે આ મુદ્દે છેલ્લા 2-3 દિવસથી વલસાડ તથા આજુબાજુ ગામો ના તમામ ડીજે સંચાલકો અને ગણેશ આયોજકો અલગ-અલગ જગ્યા પર એક જૂથ થઈ મિટિંગ યોજી તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી પોલીસ તંત્ર તેમના ફેસલા પર અડીખમ હોય ત્યારે તમામ મંડળ અને ડીજે સંચાલક સાથે મળી એકજુથતા બતાવે તે સંદર્ભે આજરોજ જિલ્લા પોલીસ વડા અને સી.ટી.પી.આઈ ને લેખિત રજુઆત કરી સાજે 6કલાકે પાલિકા સ્પોર્ટ કોમ્પ્લેકસ ખાતે એક જાહેર મિટિંગ યોજી આગળ ની રણનીતિ તૈયાર કરી હતી જેમાં તમામ સમાજ ના આગેવાનો,તમામ મંડળ ના યુવાનો-વડીલો, ડીજે સંચાલકો, ઉપસ્થિત રહી તેમની વાત ઉપર અદિકરી સુધી પોહચે તેવા પ્રયાસ કર્યા હતા.