દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના રહેતા અને જરૂરિયાત વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મદદરૂપ થતી માં ફાઉન્ડેશનના ગાંધીવાદી ગફૂરભાઇ બિલખીયાને દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના વરદ હસ્તે પદ્મ શ્રી એવોડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.વર્ષ 2020માં ગફૂરભાઇ બિલખિયાનું નામ પદ્મ શ્રી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.પણ કોરોના મહામારીના કારણે ગત વર્ષે એવોર્ડ આપવાના રહી ગયા હતા.
વલસાડ જિલ્લાના વાપીમાં ગાંધીવાદી તરીકે ઓળખાતા અને માં ફાઉન્ડેશનના ટ્રસ્ટ ગફૂરભાઇ બિલખીયા જે કાઠિયાવાડના નાના ગામમાંથી આવી વાપી ખાતે સ્થાયી થઇ શૂન્યમાંથી સર્જન કરી ઉદ્યોગપતિ બન્યા છે.તેમણે વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ આપવા માટે મદદરૂપ બન્યા હતા.
વાપી-ગુજરાતમાં સ્થાયી થયેલા ગાંધીવાદી અને ઉદ્યોગપતિ ગફુરભાઈ એમ.બિલખિયાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.હાલમાં, તેમના પુત્રો બિલખિયા ગ્રુપ ઓફ કંપનીઝનું સંચાલન કરે છે. ભૂતપૂર્વ રણજી ખેલાડી તરીકે પણ ગૌરવ અનુભવતા પરિવારે વાપીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવ્યું છે. અગાઉ મેડિકલ ક્ષેત્રે તેમના નોબેલ કાર્ય બદલ ગુજરાત સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે આજે દિલ્હી ખાતે ગાંધીવાદી ગફુરભાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા વલસાડ જિલ્લાના લોકોનું ગૌરવ વધી ગયું છે.