વાપી અને પારડી વચ્ચે ક્વોરીઓ દ્વારા જમીન લેવલથી 100 ફૂટ નીચે બિન્દાસ ખોદકામ થઈ રહ્યું હોવાની વાત સામે આવી છે.
વલસાડ જિલ્લામાં વાપી અને પારડી વચ્ચે આવેલા ઉદવાડા હાઇવે નજીક રેલવે સહિતની કુલ આઠ કવોરીઓ
દ્વારા દે ધનાધન હાલ જમીન લેવલ કરતાં 100 ફૂટ નીચે સુધી ખોદકામ થઈ રહ્યું છે.
અહીં બેફામ પથ્થરો તોડી ડુંગરોનો નાશ કરવામાં આવી રહ્યો છે.
આ પથ્થરોને તોડવા વારંવાર થઈ રહેલા બ્લાસ્ટના કારણે એક કિલોમીટર ત્રિજ્યામાં રહેતા લોકો પ્રભાવિત બની રહયા છે અને તેમનાં મકાનોમાં તિરાડો પડી રહી છે.
સુરંગના જોરદાર ધડાકા થવાથી કેટલાક ઘરોમાં તિરાડો પડી રહી છે. ઉપરાંત પથ્થરની રજકણો ઉડવાથી લોકોને શ્વાસ સબંધી તકલીફો પડી રહી હોવાની બૂમ ઉઠવા પામી છે.
મહત્વનું છે કે હાલ બાંધકામ ક્ષેત્રમાં આવેલી તેજીના કારણે બ્લેકટ્રેપ, સેન્ડસ્ટોન સહિતની ખનિજોની ભારે માંગ ઉઠવા પામી છે ત્યારે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.