અજય માંજરો અને ધીરુ પટેલના મર્ડર સાથે પ્રસાશક પ્રફુલ્લ પટેલની શુ ભૂમિકા ? કાવતરું કે બદનામ કરવાની સાજીસ ?
નાની દમણ: નાની દમણના ભીમપોર ખાતે રહેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઇ જગુભાઈ પટેલ ઉર્ફે સૂકા ભાઈ એ પોતાના ઉપર લાગેલા અજય માંજરો અને ધીરૂ પટેલ ની હત્યા ના આરોપ એક લેટર ના માધ્યમ થી કબૂલી લઇ આ મર્ડર કેસ માં પ્રશાશક પ્રફુલ્લ પટેલ પણ એટલા જ જવાબદાર હોવાની વાત કરી મર્ડર કરાવવા રૂ . 15 કરોડ લીધા હોવાના સનખેજ આરોપ સાથે હવે વધુ રૂ . 20 કરોડ માંગતા હોવાનું જણાવી પોતે સુરત વી આર મોલ માં 22 તારીખે 4:30 કલાકે મીડિયા સમક્ષ પોતાની જાત ને સરેન્ડર કરવા ની વાત કરી પ્રફુલ પટેલ શાહુકાર હોય તો તે પણ હાજર રહે તેવી ચેલેન્જ કરતો એક હાથ થી લખાયેલ એક પત્ર વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે જોકે , સત્યડે મીડિયા હાઉસ આ પત્ર ની પૃસ્ટી કરતું નથી કે નથી તેને સમર્થન આપતું પરંતુ અહીં સવાલ એ થાય છે કે સૂકા ભાઈ અને પ્રશાશક વચ્ચે ની મર્ડર અને સોપારી તથા પૈસા ની વાતો શા માટે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આવું કોણ કરી શકે ? તેવા અનેક સવાલો ઉભા થયા છે પહેલીજ નજરે સહી વગર નો આ પત્ર ભારે ચર્ચા માં રહ્યો છે અને શુ સૂકા ભાઈ કે પ્રશાશક ને બદનામ કરવાની કોઈ સાજીસ છે ? કે બીજો કોઈ ઈરાદો છે તે તમામ હકીકત તો ગહન તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે પરંતુ વાયરલ થયેલા આ પત્ર એ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના રાજકારણમાં ભારે ચકચાર જગાવી દિઘી છે.