શ્રી પ્રજાપતિ પ્રગતિ મંડળ વલસાડ નો ૩૫ મો સ્નેહ સંમેલન તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ યોજયો હતો. જેમાં અમદાવાદ થી મુંબઇ સુધી ના જ્ઞાતિ જનો એ ભાગ લીધો હતો જેની શરૂઆત પ્રાર્થનાથી થઇ હતી.
આ સ્નેહ સંમેલનમાં અધ્યક્ષ તરીકે શ્રી રમેશચંદ્ર પ્રજાપતિ (વાપી) તથા અતિથિ વિષેશ શ્રી મગનભાઇ લાડ (વલસાડ) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦,૧૨, તેમજ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશ ભક્તિ ગીત તથા શ્રી પ્રજાપતિ મહિલા મંડળની બહેનો દ્વારા નૃત્ય તથા સ્વાગત ગીત થી સમગ્ર જ્ઞાતિ જનો નું મનોરંજન કર્યું હતું.
કાર્યક્રમના પ્રથમ સત્ર ના અંતે રાષ્ટ્રગીત થી થઇ હતી. મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા શ્રી પ્રજાપતિ પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા રાખવામાં આવી હતી.
બીજા સત્ર ની શરૂઆત શ્રીમતી ભાવનાબેન મિસ્ત્રી ના મોટિવેશન સ્પીચ થી થઇ હતી અંતિમ સત્ર માં લગ્ન ઉત્સુક યુવાન અને યુવતીઓનો પરિચય મિલન નો કાર્યક્રમ યોજાયો હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન બ્લડ ડોનેસન નું પણ આયોજન થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનો ખુબ જ સરસ આયોજન થયું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.