સુરત જિલ્લામાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે અને મૃત્યુઆંક વધી ગયો છે અને હાલ માં કોરોના ની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટર ખૂટી પડતા રાજ્ય સરકારના આદેશ બાદ આજે વલસાડ સિવિલહોસ્પિટલમાંથી વેન્ટિલેટર નો જથ્થો સુરત મોકલવામા આવ્યો હતો પણ નવાઈ ની વાત એ હતી કે આટલા મોંઘા વેન્ટીલેટર કચરા ની ખુલ્લી ગાડી માં લઇ જવાતા વિવાદ ઉભો થયો છે.
રા જ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા એ વેન્ટિલેટર લેવા માટે મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામા આવતા મોટી બેદરકારી બહાર આવી છે અને જનતા ના પૈસા થી ખરીદવામાં આવેલા આ કિંમતી મશીન ની જાણે જવાબદારો ને કોઈ કિંમત ન હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત મનપાને વેન્ટિલેટર મોકલી આપવામા આવ્યા છે, વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામા આવ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલ કોવિડ-19 માં 260 વેન્ટિલેટર છે એની સાથે બીજા 45 વધારાના છે એટલે 305 વેન્ટિલેટર છે. બીજા 100 વેન્ટિલેટર કિડની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવા આયોજન સાથે માગ્યા છે. કિડની હોસ્પિટલના બે ફ્લોરમાં 200 દર્દીઓ માટે તૈયારી શરૂ કરાઇ છે. રોજના 23.4 હજાર લીટર ઓક્સિજનનો વપરાશ થાય છે. રોજ ઓક્સિજન ભરેલું ટેન્કર મગાવું પડે છે. મેડિસિન ઇમરજન્સી મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિન સહિત 54 સિનિયર ડોક્ટરો હાલ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.
દરમ્યાન વલસાડ થી રીતે મશીન લઈ જવાની ઘટના એ ભારે ચકચાર જગાવી છે.