વલસાડના નંદીગ્રામ ખાતે સુગર ફેકટરીમાં કામ કરતા મજૂરો દ્વારા લાવવામાં આવેલા 50 થી વધુ વાછરડાં ઓ ને મજૂરો મૂકીને ચાલ્યા જતા અનાજ પાણી વિના 10 થી વધુ વાછરડાં ના તરફડીને કરુણ મોત થતા ભારે ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ નંદીગ્રામ ખાતે નવપાડા બારમા માઇલ નજીક શેરડી કાપવાનું કામ કરતા મજૂરો એ કેટલાક સમય થી પડાવ નાખ્યો હતો જેઓ તેમની સાથે 50 થી વધુ વાછરડાં ઓ લઈ આવ્યા હતા. આ મજૂરો એકાએક રાત્રી દરમ્યાન અચાનક આ વાછરડાં મૂકીને ચાલ્યા ગયા હતા પરિણામે પાણી અને ચારો નહિ મળતા 10 થી 12 જેટલા વાછરડાં ભૂખ્યા તરસ્યા મોત ને ભેટતા ભારે ચકચાર મચી ગઈ છે. આ બાબતે ગ્રામજનોએ સરપંચ ને પણ જાણ કરી હતી પરંતુ નિરાકરણ નહિ આવતા આ અંગે ગૌ રક્ષક દળ ના યુવાનો ને જાણ કરતા તેઓ સ્થળ ઉપર પહોચી ગયા હતા અને અનેક ખેતરોમાં બિનવારસી ફરી રહેલા ૩૦ થી વધુ વાછરડાં ઓ ને પકડી લાવી એક સ્થળે બાંધી ને પાણી અને ઘાસચારો આપ્યો હતો. સમગ્ર બાબતે લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકો જણાવ્યું કે આવતા વર્ષે આહિ એક પણ મજૂર ને પાડવ નાખવા દેવામાં આવશે નહિ.
http://https://youtu.be/m4KrxbIPTmQ