કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ચારેતરફ અંધાધૂંધી નો માહોલ છે ત્યારે વેળાવળ થી 27 જેટલી બોટ ઉમરગામ ના નારગોલ બંદરે આવવા નીકળી ચુકી છે.એક બોટ પર 100થી વધુ માછીમારો સવાર હોવાની ખબર સ્થાનિક વિસ્તારમાં પ્રસરી જતા અહીં વસતા લોકો ટેંશન માં આવી ગયા છે અને અહીંના માછી સમાજે વિરોધ નોંધાવ્યો છે કેમકે હજુ સુધી કોરોનામુક્ત રહેલો ઉમરગામ તાલુકો આ લોકોના કારણે કોરોનાગ્રસ્ત થશે તેવી દહેશત ગામ માં ફેલાઈ ગઈછે. નારગોલ બંદરે 3 જેટલી બોટ તો આવી પણ ગઈ હતી પરંતુ માછી સમાજે તે બોટોને કિનારા ઉપર લાંગરવા દીધી ન હતી.અને હાલ દરિયામાં 7નોટિકલ ઉપર પરત મોકલી દેવા માં આવી હોવાના અહેવાલ છે.અન્ય બોટઓ મધદરિયા માંજ રહી છે.આ તરફ આગમ ચેતીના પગલાં રૂપ તમામ લોકોના સ્ક્રીનીંગ માટે આરોગ્યની ટીમ અને સુરક્ષા હેતુ મરીન કમાન્ડો પોલીસના પીએસઆઇ આઈ એન પટેલ સહિત મરીન પોલીસ મથકના પીએસઆઇ દેસાઈ સહિત નો કાફલો નારગોલ બંદર પર પહોંચી ગયો છે અને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. એક અંદાજ મુજબ મધ દરિયે 3 હજારથી વધુ લોકો બોટમાં સવાર છે.ત્યારે તેમાંથી જો એક પણ કોરોના સંક્રમિત હશે તો તેનાથી અનેક લોકો આ વાયરસનો શિકાર બનશે તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ ખલાસીઓ ઉમરગામ તાલુકાના અને વલસાડ જિલ્લાના ઉપરાંત દમણના છે.અહીંના લોકો ના જણાવ્યા મુજબ જો કોરોના વાયરસની મહામારીના ફેલાઈ હોત તો તેઓનો વિરોધ નહીં કરતે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા અમે આ બોટમાં આવતા ખલાસીઓને અહીં આવવા માટેનો વિરોધ કરીએ છીએ. અને જે લોકો કાંઠે આવ્યા છે.તે તમામને પણ સરકારના લોકડાઉનના પિરિયડ સુધી દરિયામાં બોટ કોરોન્ટાઇન કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
Friday, May 17