કોરોના ની સ્થિતિ વચ્ચે વલસાડ માં અનાજ કીટ,ભોજન સેવા ની સેવાકીય પ્રવૃતિઓ ચાલુ છે ત્યારે તારીખ ૩ એપ્રિલના રોજ વલસાડ મુસ્લિમ સમાજ, કશ્યપ કેટર્સ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલવે યાર્ડ સ્થિત માલ ગોદામ માં બપોરનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલવેની કોન્ટ્રાક્ટ કામગીરી માટે નાં ૯૭ કર્મચારી, FCI નાં કામકાજ માટે કોન્ટ્રાક્ટ નાં ૧૫૦ મજૂરો અને સ્ટેશન વિસ્તારની આજુબાજુ રહેતા ગરીબ વર્ગના મળી કુલ લગભગ ૩૫૦ જેટલા લોકો માટે વલસાડ મુસ્લિમ સમાજ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર સત્યકુમાર, AOM શ્રી અનુ ત્યાગી, રેલવે હોસ્પિટલ વલસાડ નાં ડૉક્ટર શ્રીમતી હલદર, વલસાડ નાં એડિશનલ જજ અસલમ ઘાસુરા, WREU નાં સેક્રેટરી હુસૈન બેલિમ, તુષાર મહાજન, વલસાડ મુસ્લિમ સમાજના ઇકબાલ કુરેશી, ઈશામુદ્દીન ગાંધી, કાસમ વજીર, આરીફ ચીખલીયા હાજર રહ્યા હતા. મુંબઈ ડિવિઝન નાં ડિવિઝનલ રેલવે મેનેજર સત્યકુમારે આ સેવાભાવી કામગીરી ને બિરદાવી હતી.
Thursday, May 2