નિયમ વિરૂદ્ધ મંજૂરી અપાશે તો જાગ્રુત નાગરિકો દ્વારા આ પ્રકરણને નામદાર કોર્ટ માં લઈ જવાશે.
વલસાડ:વલસાડ જિલ્લા પંચાયત નું મહેસુલી વિભાગ છેલ્લા કેટલાક સમય થી વિવાદો નો પર્યાય બની જવા પામી છે જિલ્લા પંચાયત મહેસુલ વિભાગ કાયદા થી નહીં પરંતુ રાજકારણીઓ ના ઈશારે ચાલી રહ્યા હોવાની ફરિયાદ લોકો માં ઉઠવા પામી છે. વલસાડ જિલ્લા પંચાયત હાલે વલસાડ તાલુકા ના અટકપારડી ખાતે વગર પરવાનગી એ ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ ના કારણે ચર્ચા ના ચકડોળે ચઢવા પામી છે.
વલસાડ તાલુકાના અટકપારડી ગામ ના સર્વે નંબર :- 19/2 વાળી 26810 ચો. મીટર જમીન ને બિનખેતીની રિવાઇઝડ કરવાના ના પ્રકરણ માં રજુ કરવામાં આવેલ પ્લાન,નકશા માં 24 મીટર નું માર્જિન છોડવામાં આવ્યું છે પરંતુ નિયમ કાયદા મુજબ 37 મીટર નું માર્જિન છોડવાનું હોય છે જે છોડવામાં આવ્યું નથી. આ કામ અર્થે ગત તારીખ 25/4/2018 ના રોજ મળેલ કારોબારી સમિતિ ની બેઠક માં પણ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એ એડહોકે આ કામ ને નામંજૂર કરી દીધું હતું પરંતુ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ના ચેરમેન મણિલાલ અને સમિતિ ના સભ્ય શંકર ખડકી એ ભારે તોફાન મચાવી જાહેર બાંધકામ વિભાગ ના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં બિનખેતી કામ ને મંજૂરી અપાવતા આ પ્રકરણ એ ભારે ચર્ચા જગાવી છે. દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપવાની વાત નો અમલ કરવાને બદલે વલસાડ જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન મણિલાલ અને સભ્ય શંકર ખડકી બિલ્ડરોની પેરવી કરી પોતાનો રોટલો શેકી રહ્યા હોવાની પણ ચર્ચાઓ એ જોર પકડ્યું છે. તેમજ આ પ્રકરણ માં મોટી લેવડ દેવડ થઈ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
જે બાદ કારોબારી સમિતિ એ પ્રથમ આ પ્રકરણ ને ના મંજુર કર્યા બાદ પાછળ થી જિલ્લા પંચાયત ના સભ્ય શંકર ખડકી ના નામજોગ ભલામણ ને આધારે કામ ને મંજુર કરવાનું ઠેરવ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત ના સરકારી અશિકારીઓ અને મહેસુલી બાબુઓ કાયદાની મર્યાદા માં નહીં પરંતુ સભ્યો ની અંગત ભલામણ ના હિસાબે કામ કરતા હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા તેમની નીતિ રીતિ સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે. આ પ્રકરણ માં જિલ્લા વિકાસ અધિકારી જો નિયમ વિરુદ્ધ મંજૂરી આપશે તો આવનારા સમય માં જરૂર પડ્યે જાગૃત નાગરિકો નામદાર કોર્ટ માં આ પ્રકરણ ને પડકારવા થી પણ ખચકાશે નહીં. આ સમગ્ર પ્રકરણ માં જિલ્લા વિકાસ અધિકારી સભ્યો ના દબાવ માં આવી કામગીરી કરશે કે પછી કાયદાની મર્યાદા માં રહી ને નિર્ણય કરશે એ જોવું રહ્યું.