વલસાડ ખાતે ર્ડા.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી. ર્ડા. બાબા આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામાજિક ન્યાય દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તો વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અવસરે સવારે કલેકટર કચેરી વલસાડ ખાતેથી જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે પ્રભાતફેરીને પ્રસ્થાન કરાવી હતી. ત્યારબાદ કલ્યાણબાગ ખાતે ર્ડા.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને આંબેડકરભવન ખાતે જાહેર સભા યોજાઇ હતી. તો બીજી તરફ વાપી માં વસવાટ કરતા દલિત સમાજના લોકો દ્વારા આજે ડો બાબા સાહેબ આમ્બેડકર ની 128 મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિતે ચાણોદ ખાતે આવેલી બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી ને એક વિશેષ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દલિત સમાજ ના લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા ચાણોદ ત્રણ રસ્તા થી નીકળેલી રેલી વાપી ના વિવિધ વિસ્તારો માં ફરી હતી અને તમામ લોકો એ બાબા સાહેબ ના આપેલા આદેશ ના પંથે ચાલવા મક્કમ નીર્ધાર વ્યક્ત કર્યો હતો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.