સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજના હેઠળ રેશન કાર્ડ ન ધરાવતા હોય તેવા ગરીબ પરિવારો ને અનાજ ની કિટો નું વિતરણ કરવામાં આવતું હોય છે.જેમાં વલસાડ નગરપાલિકાના વોર્ડ નં. 11 માં નગર પાલિકા માજી પ્રમુખ રાજુ મરચાં નાં કહેવા પ્રમાણે 100 કીટ ની માંગણી કરી હતીઅને નગર પાલિકા દ્વારા પૂરતી અનાજ ની કીટો ના આપતાં રાજુ મરચાં એ આ બાબતે વિરોધ કરતા આખરે બાકી અન્ય કીટ પણ આપી દેવામાં આવી હતી આમ આ મુદ્દો વલસાડ માં ભારે ચગ્યો હતો જોકે માત્ર વલસાડ જ નહીં રાજ્ય માં અનેક જગ્યા એ અનાજ વિતરણ બરાબર નહિ કરાતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
Friday, May 17