વલસાડમાં હિંદુ જાગરણ મંચ અગ્નીવિર ગૌ સેવા દલ તથા હિંદુ યુવા વાહિની સમસ્ત હિંદુ સંગઠન અને વાપી યુવા મહારાષ્ટ્ર મંડળ વલસાડ સંગઠન ના સંયુકત ઉપક્રમે છત્ર પતી શિવાજી મહારાજ ની જન્મજયંતી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. યુવા સંગઠન મહારાષ્ટ્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી આ રીતે અયીજન કરાય છે અને રેલી સહિત પ્રસાદ ના કાર્યક્રમ માં મોટી સંખ્યા માં કાર્યકરો જોડાય છે ત્યારે આ પ્રસંગે વલસાડ રંગ ઉપવન પર ભવ્ય મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તમામ સંગઠન ના કાર્યકરો એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
Saturday, May 18