ધરમપુર, કપરાડા ના છેવાડાના ગામો ના આદિવાસી પરિવારો નો સાત દાયકા નો પ્રશ્ન ઉકેલી રાષ્ટ્રીયધારામાં વાળવા સફળ રહ્યા.
ગાંધીનગર ખાતે આયોજિત દશમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં રાજયપાલશ્રી દેવવ્રત આચાર્યના હસ્તે સન્માન. ગાંધીનગર ખાતે જી.એમ. ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત દશમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં રાજયપાલશ્રી દેવવ્રત આચાર્ય દ્વારા વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચૂંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ અવસરે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલીક્રિષ્ણા, ભારતીય ચૂંટણી પંચના પૂર્વ કમિશનર શ્રી એ.કે.જોતિ, રાજયના પૂર્વ મુખ્યચૂંટણી અધિકારી શ્રી બલવંતસિંગ રાજય ચૂંટણી આયોગના કમિશનર શ્રી સંજીવપ્રસાદ, રાજયના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેક ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે ખાસ કરીને વલસાડ જિલ્લામાં ખાસ કરીને ધરમપુર અને કપરાડા વિસ્તારોમાં છેવાડાના ગામડાઓમાં સતીપતિ પંથમાં માનતા નાગરિકો ને પોતાની આગવી સૂઝબૂઝ થી રાષ્ટ્રીયધારામાં વાળી 100 ટકા મતદાતા તરીકે નોંધણી કરાવી છેલ્લા સાત દાયકા જૂનો પ્રશ્ન ઉકેલવામાં સફળ રહેતા તેની નોંધ લેવાઈ છે, લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન મતદાર જગૃતિ થકી સમગ્ર રાજયમાં સૌથી વધુ મતદાન ૨૬-વલસાડ (એસટી) બેઠક ઉપર ૭૫.૨૧ ટકા અને વલસાડ જિલ્લામાં ૭૩.૯૩ ટકા જંગી મતદાન થયું હતું.
Sunday, May 19