કોરોના માં જો સ્થિતિ વધુ વકરે તો આકસ્મિક સંજોગો માં દર્દીઓને તરત જ સારવાર મળી રહે તે માટે દરેક જગ્યા એ વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે મુંબઈ રેલ્વે ડિવિઝન દ્વારા 140 બર્થની કોરોના નાં દર્દીઓ માટે આઈસોલેસન વોર્ડ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ છે. જેના ભાગરૂપે વલસાડ રેલવે લોકોશેડ ખાતે ટ્રેનમાં 13 કોચમાં 90 બર્થનો આઇસોલેસન વોર્ડ યુદ્ધના ધોરણે તૈયાર થઈ રહ્યો છે… રેલવે who ની ગાઇડલાઈન મુજબ આઇસોલેશન વોર્ડ બનાવી રહ્યા છે જેમાં એક કોચમાં 8 કોરોના નાં દર્દીઓ માટે કંપાર્ટમેન્ટ અને એક પેરામેદિકલ સ્ટાફ માટે કંપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યો છે. કોચમાં 2 ટોયલેટ, 2 બાથરૂમ બનાવશે આમ રેલવે આ કામગીરી માં જોતરાયું છે.
Friday, May 17