આજ રોજ વલસાડ જિલ્લામાં કોરોનાની સત્તાવાર એન્ટ્રી થતા તંત્ર એલર્ટ થયું છે. વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડીને કેટલાક વિસ્તારોને ઓપી સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને જોતા સાવચેતીના પગલા રૂપે આ તમામ વિસ્તારોને 26 મે થી 22 જ સુધી કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. આ તમામ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવશે.
કન્ટેન્ટમેન્ટ એરીયા
કોસંબા – પારધી ફળિયા, આનંદ સ્ટ્રીટ, આરાધના સ્ટ્રીટ, ગંગાજી સ્ટ્રીટ, ગીતાંજલી સ્ટ્રીટ
અતુલ – હિલ સાઈડ – 1, કોલોનીના જી-3 ટાઈપ ક્લાટર નંબર-10 તથા જી-3 ટાઈપનો તમામ વિસ્તાર
ઉમરગામ- આશિષ મિશ્રાની ચાલી પ્રગતિ નગર-1, પ્રગતિનગર આંગણવાડી તથા દુધનાથ મંદીરનો તમામ વિસ્તાર
વલસાડ – વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ભારત ડેરી અંગરના રોડ પર આવેલું દિવ્ય એપાર્ટમેન્ટ, શાંતિકુજ બંગ્લોઝ, માતૃકૃપા બંગ્લોઝ, ઉમિયા નિવાસ બંગ્લોઝ, અમર આર્કેડ, સુરજ એપાર્ટમેન્ટ, શ્રીજી નિવાસ, શિલ્પાલ્ય એપાર્ટમેન્ટ, ગણેશકૃપા બંગ્લોઝ
વલસાડ નગર પાલિકા દ્વારા આ તમામ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ જોન તરીકે જાહરે કરવામાં આવ્યા છે. નેશનલ ડિઝાયર એક્ટ અંતર્ગત આ નિયમનોનું ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર ગણાશે.