વર્તમાન કોરોના સ્થિતિ ને ધ્યાન માં લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા કેદીઓ ને 2 મહિના ની ટેમ્પરી પેરોલ પર છોડવાનો હુકમ કરતા વલસાડ માંથી 24 કાચા કામ ના કેદીઓ ને છોડવામાં આવ્યા છે, કોરોના વાઇરસ ના સંક્રમણ ના કારણે પગલે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કાચા અને પાકા કામ ના કેદીઓને 2 મહિના ની પેરોલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને પગલે વલસાડ જિલ્લા ના 9 કેદીઓ સુરત જેલ અને 15 નવસારી જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા હતા જેમાં સુરત ખાતે એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ શ્રી નિમાવત અને નવસારી ખાતે ચીફ એડિશનલ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ શ્રી ડી.કે. ચંદનાની દ્વારા જેલ પરિસર માં જઈ ને કેદીઓ ની જામીન અંગે સુનાવણી કરી હતી આ કેદીઓ ને 2 મહિનાના ના ટેમ્પરી વચગાળા ના જમીન આપવામાં આવ્યા છે જેને લઈને વલસાડ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સેક્રેટરી જજ શ્રી એમ.બી ઘાસુરા એ પત્રકારો ને માહિતી આપી હતી.
Friday, May 17