ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ત્રાટક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૫ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. ત્યારે ગુજરાત પ્રશાસન પણ કોરોના સામે લડવા માટે મક્ક બન્યું છે. અને તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત ને લોકડાઉન કરવામા આવ્યું છે.
સ્થાનીય લેવલે પણ જીલ્લા પ્રસાસન દ્વારા કોરોના ની સામે લડવા માટે કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં ફોગીંગ, સાફ સફાઈ, દવા નો છંટકાવ જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કેટલાક જાહેર હિતના પગલા લેવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લા કલેકટરે દુકાનો ના સમય નક્કી કર્યા છે. અને તે સમય અનુસાર જે તે વસ્તુ ઓનું વેચાણ કરવામાં આવશે. લોકડાઉન માં પણ લોકો જરૂરી સમાન ના બહાને બહાર નીકળતા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે સમય ની માંગ ને અનુરૂપ છે. જે અનુસાર હવે થી વલસાડ જીલ્લામાં કારીયાણા ની દુકાનો સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવી છે. જયારે તો શાકભાજી/ લારી વાળાઓએ સવારે 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચલાવવા અપીલ કરવામાં આવી છે. તો સાથે સાથે તમામ ને ખરીદી સમયે 1 મીટર નું અંતર રાખવા પણ આહવાહન કરવામાં આવ્યુ છે. આવતી કાલથી આ સમય ની પાલન કરવા શહેરીજનોને અપીલ કરી છે. અને જિલ્લા કલેકટરે ટ્વીટ કરી આપી માહિતી આપી છે.