વલસાડ માં એક વિચિત્ર બાબત સામે આવી છે અને તે છે ગટર દર્શન , જી..હા.. ગટર દર્શન …કારણ કે ઉભરાતી ગટરો ના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા દુકાન માં ખરીદી કરવા આવતા ગ્રાહકો ઘટી ગયા છે પરિણામે વેપારીઓ મંદી માં સપડાયા છે.
વલસાડ ના સ્ટેડિયમ રોડ ઉપર છેલ્લા એક વર્ષથી ગટર અને પીવાના શુદ્ધ પાણીનું મિશ્રણ થઈ રોડ ઉપર વહેતું હોય છે એક વર્ષ થી ડ્રેનેજનું ગંદુ પાણી પસાર થતાં સ્થિતિ ખરાબ છે અને તંત્ર ને ખબર હોવા છતાં તેઓ દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી પરિણામે વલસાડના સ્ટેડિયમ રોડ ના વેપારીઓ માં વલસાડ નગરપાલિકા પ્રત્યે રોષ ની લાગણી જોવા મળી રહી છે ભરાયા હતા અને જણાવ્યું હતું કે છેલ્લા એક વરસથી દુકાન પાસેથી ગંદુ ટ્રેન નું પાણી નીકળી રહ્યું છે અને લગભગ છથી સાત દુકાનો પાસે આગળ-પાછળ પાણી વહેતું હોય છે તેમછતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી થતી નથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર મોખીત તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં સબંધીતો દ્વારા કોઈ જ નોંધ લેવામાં આવી નથી જેથી હવે રજુઆત કોને કરવી તે પ્રશ્ન ઉભો થયો છે અને વિકાસ ના બણગાં ફુકતી પાલિકા પહેલા ઉભરાતી ગટરો બંધ કરે તો પણ ઘણું છે તેવો મત વેપારી આલમ માં જોવા મળી રહયો છે ત્યારે પાલિકા પ્રમુખ હવે આગળ શું પગલાં ભરે છે તેતો સમય જ બતાવશે.
Saturday, May 18