–
ગુજરાત ના વલસાડ જિલ્લા ની બોર્ડર પર આવેલા દાનહ અને દિવ હવે મર્જ થઈ જશે અને તે માટે ની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઈ છે
ગૃહ મંત્રાલય દ્વારા ખાસ ઘોષણા કરવામા આવી છે કે 26જાન્યુઆરી 2020થી દમણ દીવ અને દાદરા નગર હવેલી સંયુક્ત રૂપે એક કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.
દાદરા નગર હવેલી અને દમણ દીવ કેન્દ્રશાસિત પ્રદેશનુ વિલય વિધેયક 2019ને હાલમાં સમાપ્ત થયેલા સંસદના શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહમાં પસાર કરાયું હતુ. ગૃહ મંત્રાલય તેમજ સચિવ ગોવિંદ મોહને જાહેર કરેલા જાહેરનામાં મુજબ દાદરા નગર હવેલી અને દમણ દીવ કેન્દ્રશાસિત પ્રદેશના વિલય અધિનિયમ 2019 (2019ના 44)ની ધારા 2ના ખંડ (અ )મુજબ કેન્દ્ર સરકાર 26 જાન્યુઆરી 2020ને ઉક્ત અધિનિયમને લાગુ કરવા માટે નિયત દિવસની પસંદગી કરી છે. વિલય બાદ કેન્દ્રશાસિત પ્રદેશનુ નામ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ રાખવામાં આવશે