રાજ્ય માં આવતી કાલ થી શરૂ થતાં ગણેશ ઉત્સવ તેમજ આગામી નવરાત્રી પર્વ DJ ના તાલે ઉજવવા પરવાનગી મળતા રાજ્યભર માં આયોજકો માં ખુશી જોવા મળી રહી છે ત્યારે વલસાડ માં પણ ભારે ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને આઝાદચોક ખાતે ગણેશ મંડળોના આયોજકો તેમજ ડીજે સંચાલકોઓ એ ફટાકડાની ફોડી ખુશી મનાવી હતી.
સાથે જ વલસાડ જિલ્લા માં ગણેશ ઉત્સવ ઉજવવા પરવાનગી આપવામાં આવતા વાપીમાં 210, વલસાડ શહેર અને તાલુકામાં 200 સહિત પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા તાલુકામાં 600થી વધુ સાર્વજનિક ગણેશત્સવની પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આપી છે. આજે ગુરૂવારે પણ આ મંજૂરીની પ્રક્રિયા ચાલુ રહેવાથી હજુ પણ જાહેર સ્થળોએ શ્રીજીની સ્થાપના માટે મંજૂરી મળી શકશે.
સમગ્ર જિલ્લા માં શ્રીજી ઉત્સવ ઉજવવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં ગણેશ મૂર્તિની સાર્વજનિક ઉત્સવો માટે મહત્તમ 4 ફુટની મૂર્તિ અને ઘરમાં સ્થાપન માટે મહત્તમ 2 ફુટની મૂર્તિ માટે મંજૂરી અને વિસર્જન માટે 15 વ્યક્તિની મર્યાદા જાહેર કરી હતી.
દરમિયાન વલસાડ માં આગામી ગણેશોત્સવને ધ્યાને લઇ પોલીસ વિભાગ દ્વારા શહેરના આયોજકો સાથે બેઠક યોજી શરતોના પાલન સાથે ગણેશ સ્થાપના અને વિસર્જનની પરવાનગી માટે પોલીસ મથકોએથી ફોર્મ મેળવી રજૂ કરવા સહિત નિયમો પાળી સહકાર આપવા ચર્ચા થઈ હતી.
છેલ્લા બે વર્ષ બાદ આ વર્ષે ડીજે ના તાલે ગણેશ ઉત્સવ અને નવરાત્રી પર્વ ઉજવવા થનગનાટ જોવા મળી રહ્યો છે.