સમીર ખાન, વલસાડ
વલસાડ રેલવે સ્ટેશન ઉપર મુંબઈ તરફ જતી કચ્છ એક્સપ્રેસમાંથી 40થી વધુ પાસ હોલ્ડરોને ટીસીએસ ટ્રેનમાં ચડવા નહીં લઈ સ્ટેશન ઉપર જ ઉતારી દેતા વલસાડ સ્ટેશન પર હોબાળો થયો હતો જોકે એકત્ર થયેલા તમામ પાસ હોલ્ડરો એ વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજરને સમગ્ર બાબતની ફરિયાદ કરી હતી તેમણે નવી ટ્રેન તેમજ કોઈ વૈકલ્પિક રસ્તો કાઢવા માટે પણ રજૂઆત કરી હતી.
વલસાડ રેલવે સ્ટેશન પર આજે વહેલી સવારે કચ્છથી મુંબઈ તરફ જતી ગાંધીધામ એક્સપ્રેસમાં પાસ હોલ્ડરો તેમજ વિદ્યાર્થીઓ જેવો વલસાડ થી વાપી સુધી રોજિંદા અપડાઉન કરે છે તેઓ આજે વહેલી સવારે જ્યારે પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવી તે સમયે નિયમિત મુજબ રિઝર્વેશન કોચમાં ચડ્યા હતા જોકે આ સમયે આવેલા પીસીઓએસ એમની પાસે ટિકિટ અને પાસ હોલ્ડર તમામને રિઝર્વેશન ડબ્બામાંથી ઉતરી જવા માટે જણાવ્યું હતું એકલદોકલ પાસ હોલ્ડર નહીં પરંતુ વલસાડથી ટ્રેનમાં ચડતા તમામ પાસ હોલ્ડરો ને વલસાડ સ્ટેશન ઉપર જ ઉતારી દેવાયા હતા જેના કારણે વલસાડ પાસ હોલ્ડર દ્વારા સ્ટેશન ઉપર ભારે હોબાળો થયો હતો તેમણે આ ઘટનાને ગંભીરતાપુર્વક લઈ સમગ્ર બાબતે વલસાડ રેલવે સ્ટેશન મેનેજરને મૌખિક રજુઆતો કરી કોઈ વૈકલ્પિક માર્ગ બતાવવા માટે જણાવ્યું હતું કારણ કે વહેલી સવારે વલસાડ થી વાપી તરફ આવતી આ એકમાત્ર ટ્રેન હોવાથી રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાસ હોલ્ડરો એ જણાવ્યું કે આ સમય પર તેઓને એક ટ્રેન ની જરૂર છે નોંધનીય છેકે થોડા દિવસ પૂર્વે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા મુસાફરો તેમજ પાસ હોલ્ડરો વચ્ચે કોઈક બાબતને લઈને ભારે ચકમક ઝરી હતી જેને લઇને રિઝર્વેશન કોર્ટના મુસાફરોએ પાસ હોલ્ડર ની બે યુવતીઓને વાપી સ્ટેશને ઉતરવા દીધી ન હતી તેમજ બાનમાં લઈને તેને છેક બોરીવલી રેલવે સ્ટેશન સુધી લઈ ગયા હતા જેના કારણે આવી ઘટના ફરી ન બને તે બાબતે સતર્કતા જાળવી ટ્રેનન ટી સી દ્વારા આજે તમામ પાસ હોલ્ડરો લે રિઝર્વેશન કોચમાં ચડવા દીધા ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.