વલસાડ તાલુકા નાં ડુંગરી કાંઠા વિસ્તારમાં આવેલ કકવાડી ગામે મૈથ્યા ફળિયામાં નદીના કિનારે દિવસે બાળકો સાથે ધુળેટી રમી રહેલા ૮ વર્ષીના બાળક ઉપર ૧૦-૧૫ કુતારોએઓ હીંચકારો હુમલો કરી બાળક ને બચકા ભરી કૂતરાઓ બાળકને 200 મીટર સુધી દૂર ખેચી લઈ જતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત બન્યું હતું જોકે, બાળક એ બૂમો પાડવાનું ચાલુ કરતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને કુતરાઓ ને દૂર ભગાડી બાળક ને બચાવી લીધું હતું કુતરાઓ ના હુમલા નો ભોગ બનેલા બાળકના શરીરના ભાગે કૂતરાઓએ સંખ્યા બંધ બચકા ભર્યા હોઈ ઇજાગ્રસ્ત બાળકને ગંભીર હાલતમાં ડુંગરી વૈદ્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટર દ્વારા તાત્કાલિક સારવાર આપતાં બાળકનો જીવ બચી ગયો હતો અગાઉ પણ કાંઠા વિસ્તારમાં કૂતરાઓએ આતંક મચાવી એજબાળકી પર હુમલો કર્યો હતો જેમાં બાળકીનું મોત નિપજ્યું હોવાનો કિસ્સો બન્યો હોવાનું લોકો એ જણાવ્યું હતું.
Sunday, May 19