પાછલા લાંબા સમયથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભૂકંપનાં આચકા અનુભવવામાં આવી રહ્યા છે. જે પ્રદેશે કચ્છ અને લાતુર જેવી ભૂકંપ હોનારથો જોઇ હોય તે પ્રદેશમાં ભૂકંપ થાય આટલે લોકોનાં હદય બેસી જાય તે પણ તેટલી જ હકીકત છે. ત્યારે ફરી મહારાષ્ટ્રનાં મુંબઈનાં પાલઘર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો સાથે સાથે ગુજરાતનાં વલસાડમાં પણ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતનાં વલસાડમાં લગભગ રાત્રે 11.20 કલાકે કંપન અનુભવાયું હતું. ગુજરાતનાં વલસાડમાં ભૂકંપનાં આંચકોની તિવ્રતા 2.1 હોવાનું નોંધવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, ભૂકંપનો આંચકોનો અનુભવ શુક્રવારનાં દિવસે લોકોએ 4- 4 કર્યો હતો. આટલા આંચકા અનુભવાયા હોવાનાં કારણેે લોકોમાં એક ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વે પણ ગુજરાત મોટા ભૂકંપની ખુવારી સહન કરી ચૂક્યું છે અને તે સમયે પણ હાલની જેમ શરૂઆતી સમયમાં ધીમા ધીમા આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો અને તેની ફ્રિક્વન્સી ધીમે ધીમે વધી હતી. તે સમયે પણ આંચકાઓ શિયાળાની શરૂઆત પહેલા શરૂ થયા હતા અને હાલમાં પણ છેલ્લા બે મહિનાથી સતત ભૂકંપ અનુભવવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોમાં ભૂતકાળનાં પુનરાવર્તનને લઇને ડર વ્યાપતો જોવામાં આવી રહ્યો છે.