દેશ ની સરહદો પાર કરી પેટિયું રળવા કુવૈત માં ગયેલા માછીમારો હાલ બોટ માં દિવસો પસાર કરી ભારત સરકાર ને મદદ ની ગુહાર લગાવી રહ્યા છે ,દક્ષિણગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તાર ના સેંકડોમાછીમારો કુવૈત માં ફસાઈ જતા તેમના પરિવાજનો ચિંતા માં મુકાઈ ગયા છે, કોરોના ની વૈશ્વીક મહામારી માં આખા વિશ્વ નું જનજીવન ખોરવાઈ ગયું છે અને યુધ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે જેમાં સેંકડો લોકો ફસાયેલા છે આ બધી વાસ્તવિકતા હવે ધીરેધીરે બહાર આવી રહી છે. સત્યડે મીડિયા હાઉસ દ્વારા આવા લોકો ની વેદના અને સમસ્યા સમાચારો ના માધ્યમ થી રજૂ કરવામાં આવી છે. ત્યારે કુવૈત માં ફસાયેલા સુરત , નવસારી , વલસાડ ના માછીમારો સાથે સત્યડે ડોટકોમ ના પ્રતિનિધિ એ સીધી વાત કરી હતી અને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો
જેમાં વલસાડ જિલ્લા ના 70 જેટલા માછીમારો ફસાયા હોવાનું તેઓએ જણાવ્યું હતું અને ત્યાં હાલ માં ખાવા પીવાથી લઈ પડી રહેલી તકલીફો અંગે પોતાની આપવીતી જણાવી હતી અને ભારત સરકાર ને પોતના માટે કંઈક રસ્તો કાઢવા વિનંતિ કરી હતી , પસ્તુત છે એક રિપોર્ટ.
Thursday, May 2