શહેરમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ વલસાડ પાસે ગુજરાત ક્વિન ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના બનાવે સમગ્ર રાજ્યની પોલીસને ચકરાવે ચઢાવી છે. ત્યારે એફએસએલ રિપોર્ટ અનુસાર ખૂલાસો સામે આવ્યો છે. ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં ખુલાસો થયો કે આ યુવતી પર દુષ્કર્મ થયું નથી. હાલ આ એફએલએલ રિપોર્ટ રેલવે પોલીસને સોંપાયો છે.આ કેસ દિવસેને દિવસે ઘણો અટપટો થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં મસમોટો ખુલાસો થયો છે. ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ કેસમાં નવસારીની યુવતી પર દુષ્કર્મ કરવામાં આવ્યુ નથી. નવસારીની યુવતીનું ટ્રેનમાં શંકાસ્પદ મોત થયું હતું. જેના હાલમાં FSL રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપાયો છે. યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ હતા.વડોદરામાં નવસારીની યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ પીડિતાની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી ગુજરાત કવિન ટ્રેનમાંથી મળી આવી હતી. પીડિતાનાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે શ્વાસ રુંધાવાના કારણે પીડિતાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત રેલવે પોલીસ અને SITની તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતુ. પીડિતાની સાયકલ મળી ગઈ છે, પરંતુ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેવા પામ્યા છે.
પીડિતાના પરિવારે સર્કિટ હાઉસમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને ન્યાય માટે રજૂઆત કરી હતી. પીડિતાના પરિવારનું કહેવું છે કે, જધન્ય કૃત્યને એક મહિનો વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો નથી. બીજી તરફ સંસ્થાના સામે પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જોકે, હર્ષ સંઘવીએ એમને ફરી એક વખત આશ્વાસન આપ્યું છે કે તમારી દીકરીને ન્યાય મળશે.પરિવારે દીકરીની હત્યા થયાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતોમૃતક યુવતીના માતા-પિતાએ વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ પર આરોપીઓનો મુખ્ય ઇરાદો દુષ્કર્મનો નહિ પણ મર્ડરનો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.અમારી દીકરી ઓએસિસ સંસ્થામાં ચાલતું કંઇક ખોટું જોઇ ગઇ હશે. આથી જ તેને મારી નાંખવાનો ઇરાદો હશે એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે