વલસાડ માં લારીઓ અને ફેરિયાઓ બજાર માં ઉભા રહી સોશિયલ ડિસ્ટનિંગ જાળવતા નહિ હોવાના સત્યડે નાઅહેવાલ બાદ પોલીસ તેમજ નગરપાલિકા ના સયુંકત અભિયાન અને પ્રયાસો થી વલસાડમાં અલગ અલગ જગ્યા ઉપર ઉભા રહેતા શાકભાજી વિક્રેતા લારી વાળા ઓને એક જ જગ્યા ઉપર રહી વેપાર કરવા સૂચના અને અમલ કરાવ્યો હતો. વલસાડ ના તિથલ રોડ ઉપર આવેલ પ્લાઝા ની સામે આવેલ પૂજા અભિષેક ની બાજુ ના મેદાન તેમજ તિથલ રોડ ઉપર આવેલ ગવરમેન્ટ કોલોની ની સામે નું મેદાન ફેરિયાઓ ને હંગામી ધોરણે ફાળવી દેવામાં આવ્યું છે. જેથી ગરીબ લારી વાળો પણ વેપાર કરી શકે અને ગ્રાહકો ને પણ સગવડતા મળી રહે ભીડ પણ ના થાય તેના માટે એક એક મીટર ના અંતરે માર્ક કરી કોરોના ના ડિસ્ટનિંગ ના નિયમો જળવાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.આમ હવે તંત્ર દ્વારા આ રીતે વ્યવસ્થા કરવામાં આવતા આખા શહેર માં ખરીદી માટે અટવાતા લોકો ને પણ સગવડા થતા ગ્રાહકો અને ફેરિયાઓ ની સમસ્યા નો પણ અંત આવ્યો છે.
Friday, May 17