વલસાડમાં સંબંધિત વિભાગ ને અંધારામાં રાખી ને આર વી સ્માર્ટ નામધારી શિક્ષણ ધામ ઉભું કરી દેનાર સામે સત્યડે દૈનિક અને સત્યડે ડોટ કોમેં અભિયાન ચલાવી બાળકો ના ભાવિ સાથે થઇ રહેલા ચેડાં અંગે નો અહેવાલ પ્રસારીત કરતા તંત્ર વાહકો દોડતા થઈ ગયા હતા અને ગેરકાયદે રીતે લગાવેલું આર વી સ્માર્ટ સ્કૂલ નું બોર્ડ રાતોરાત દૂર કરી દીધું હતું અને તેની જગ્યા એ જય અંબે વિદ્યા ભવન નામ કરી દીધું હતું. જોકે ખોટું નામ અત્યાર સુધી રાખી તંત્ર વાહકો અને વાલીઓ ને શા માટે અંધારામાં રાખવામાં આવ્યા તે વાત સમજાતી નથી એટલું જ નહિ કોઇપણ સ્કૂલ હોય પણ મેદાન જ ન હોય તો તે સ્કૂલ ની માન્યતા સામે સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણાજ સમય થી શિક્ષણ ને ધંધો બનાવી દેવામાં આવ્યો છે અને જ્યાં ત્યાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને નિયમો ની ઐસી તૈસી કરવામાં આવી રહી છે ત્યારે જવાબદારો આ મામલે કેવા પગલાં ભરે છે તેતો સમયજ બતાવશે જોકે, આ અંગે સ્કૂલ ના જવાબદારો ને પૂછતાં તેઓ એ જણાવ્યુ હતુ કે, ટ્રસ્ટ ની આ સ્કૂલ નું નામ જય અંબે ભવન છે પરંતુ આર વી સ્માર્ટ નામ કરવા માટે ગાંધીનગર ખાતે અરજી કરી છે પણ જયારે નામ મંજુર થશે ત્યારે તે નામ બદલાશે. જોકે સત્યડે ના અહેવાલો ને પગલે તાત્કાલિક પાટિયા ઉતારી લેવાની જવાબદારો ને ફરજ પડી હતી.
Saturday, May 18