2012 થી માન્યતા પ્રાપ્ત છે શાળા : સ્કૂલ ના નામફેર માટે ચાલી રહી છે પ્રોસેસ. વલસાડના ગણેશ હોલ ખાતે આવેલ જય અંબે વિદ્યાભવન શાળા ચાલે છે જે 2012 થી કાર્યરત છે અને માન્યતા પ્રાપ્ત શાળા છે ,જોકે સ્કૂલ ને આર વી સ્માર્ટ નામ થી ફેરફાર કરવા માટે ગાંધીનગર ખાતે તેની પ્રોસેસ ચાલુ હોવાના કારણે સ્કૂલ સંચાલકો એ આરવી સ્માર્ટ શાળાનું બોર્ડ માર્યું હોવાની વાત નો ખુલાસો થયો છે , આર વી સ્માર્ટ સ્કૂલ એજ જય અંબે વિદ્યાભવન સ્કૂલ હોવાનું ના સંચાલક ઋત્વિક ભાઈ વઘાસિયા એ સત્યન્યૂઝ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું તેઓ એ જણાવ્યું કે આ શાળા વલસાડમાં 2012 થી કાર્યરત છે અને વિદ્યાર્થીઓ અહીં A1 ગ્રેડ લાવે છે તેથી વાલીઓ ને પણ સ્કૂલ થી સંતોષ છે અને વિદ્યાર્થીઓ પણ અહીંના અભ્યાસ અને શિક્ષકો થી ખુબજ ખુશ છે, હાલ માં સ્કૂલ નું નામ આરવી સ્કૂલ કરવા પ્રોસીઝર કરેલી છે જો મંજુર થાય તો નામ બદલાશે નહિતર જે નામ ની મંજૂરી મળી છે તેજ જય અંબે વિદ્યાભવન નામ કાર્યરત રહેશે. જય અંબે વિદ્યાભવન નામથી 2012માં શરૂ કરવામાં આવેલ આ શાળા સો ટકા પરિણામ પણ આવે છે અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ધોરણ 11 -12 ગુજરાતી અને સાયન્સ માટે જાણીતી છે. જે શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓ એ પણ સત્યન્યૂઝ ને જણાવ્યું હતું.
Saturday, May 18