2018 માં પાથરેલી કપચી ચોરી માટે છાયડો રેસિડેન્સી ના માલિક સામે શંકા ની સોય. વલસાડમાં બનેલી અજીબોગરીબ ઘટનામાં વર્ષ અગાઉ 23મી ઓગસ્ટ 2018ના રોજ વલસાડ જિલ્લા ખાતે અસ્ટોલ પાણી યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઈ પાથરવામાં આવેલી કપચી ચોરાઈ જતા આ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે. અહીં મોદીને સાંભળવા આવનાર લોકો માટે અટક પારડી પાવર હાઉસ સામે ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ રાખવામાં આવ્યું હતું. ચોમાસાનો સમય હોવાથી પાર્કિંગમાં કીચડ ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલ(કપચી) પાથરવામાં આવી હતી. આ કપચી બે વર્ષથી એમ જ પડી રહ્યા બાદ થોડા દિવસો અગાઉ અચાનક સ્થળ પરથી કપચી નો જથ્થો ચોરાઈ ગયો હોવાનું જણાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાખલ કરાવાયેલી પોલીસ ફરિયાદમાં પાર્કિંગ માટે પ્લોટ આપનાર છાંયડો રેસિડન્સીના માલિક રજનીભાઈ વ્હોરા તથા અટક પારડીના બીપીનભાઈ પટેલ તથા અન્ય અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં અંદાજે ત્રણ લાખની મેટલની ચોરાઈ હોવાનું જણાવાયું છે.
Sunday, May 19