વલસાડ જિલ્લા માં બલીઠા ના યુવાન નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તંત્ર માં દોડધામ મચી છે. જ્યારે જિલ્લા ના પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા દહેરી ના દર્દી સાગર માંગેલા સહિત બે દર્દી સારવાર બાદ સાજા થઈ જતા ડુંગરી ના દર્દી ને આજે રજા અપાઈ હતી જયારે દહેરી ના સાગર ને કાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે જે વાત થી તંત્ર માં નવું જોમ આવ્યું છે. આ અંગે ની વિગતો મુજબ વાપી તાલુકા ના બલિઠા સ્થિત ત્રિવેણી સોસાયટી ખાતે રહેતા 44 વર્ષીય તસેલ અહમદ સમસુલ્લા ચૌધરી ના પત્ની બીમાર થતા તા.11-4-2020 ના રોજ પોતાના પત્ની ની સારવાર માટે મુંબઈ ગયા હતા.
જ્યાં તેઓના પત્ની નું અવસાન થતાં તસેલ ભાઈ તેમના મુંબઈ ખાતે સગાના ઘરે રોકાયા હતા અને તા.1 મેં ના રોજ વલસાડ આવ્યા હતા અને પોતાના ગેરેજ માં રોકાયા હતા અને સવારે પોતાના મિત્ર અને જમાઈ સાથે વલસાડ સિવિલ માં સારવાર માટે આવતાં તેઓના લેવાયેલા સેમ્પલ બાદ કોરોના રીપોર્ટ પોઝીટિવ આવતા તેમના સંપર્ક માં આવેલ વ્યક્તિઓ ને પણ કોરિન્ટિન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન અગાઉ ઉમરગામ ના દહેરી માંગેલવાડ નો પોઝીટિવ આવેલા સાગર અશોકભાઈ માંગેલા સારવાર બાદ સજા થઈ જતા તેઓ અને અન્ય ડુંગરી ના પોઝીટીવ આવેલ યશ ઠાકોરભાઈ પટેલ ને પણ સારું થઇ જતાં તેઓને રજા આપવામાં આવી હતી અને બન્ને ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જયારે સાગર ને 3 મેં ના રોજ રજા અપાશે આમ બન્ને કોરોના પોઝીટિવ દર્દીઓ એ કોરોના ને માત આપતા આરોગ્ય વિભાગ ની સફળતા ને લઈ સ્ટાફ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.