કોરોના ની ઉદભવેલી ગંભીર સ્થિતિ બાદ આખા ભારત માં લોકડાઉન કરી દેવાયું છે ત્યારે મોટાભાગ ની જગ્યાઓ ઉપર પોલીસ પરાણે લોકડાઉન નો અમલ કરાવી રહી છે દક્ષિણ ગુજરાત ના વલસાડ માં પણ લોકો લોકડાઉન નો અમલ કરતા નથી અને પોલીસ વારંવાર અપીલ કરીને ક્યારેક ડંડા , ઉઠકબેઠક અને વાહનો જપ્ત કરી ને પણ લોકો ને કોરોના થી બચાવવા માટે ફરજ બજાવી રહી છે ત્યારે સત્યડે ની ટીમે વલસાડ ને અડીને આવેલા ઐતિહાસિક નગર એવા ધરમપુર માં લોકડાઉન ની કેવી સ્થિતિ છે તે જાણવા ધરમપુર ની મુલાકાત લીધી તો અહીં રોડ સુમસાન જણાયા હતા લોકો સ્વયંભૂ પોતાના ઘરો માં કેદ થઈ ગયા હતા આ દ્રશ્યો જોઈ ખુબજ નવાઈ લાગી કારણ કે ન કોઈ ને અપીલ ન બળજબરી ન તો કોઈ બહાના, કોઈ ઘર માંથી બહાર જોવા મળ્યું ન હતું અને અહીંના લોકો માં કોરોના અંગે ની જાગૃતિ જોઈ સેલ્યુટ મારવાનું મન થઇ ગયું.
આખા ધરમપુર માં જાણે રાત નો સમય હોય તેવો સન્નાટો જોવા મળ્યો હતો પણ હા તપાસ કરતા એટલું જાણવા મળ્યું કે અહીં પણ શરૂઆત માં લોકો લોકડાઉન ના નિયમો તોડતા હતા પરંતુ પોલીસે થોડું કઠોર બની ૧૧૦ જેટલા વાહનો જપ્ત કરવા સાથે લોકડાઉનનું પાલન ન કરતા ૫૦ જેટલા લોકો ની અટકાયત કરી ને નિયમ નું પાલન કરાવ્યું ત્યારબાદ ધરમપુર માં સોપો પડી ગયો છે જે મુલાકાત દરમ્યાન જોવા મળ્યું હતું જોકે ધરમપુર વાવ ચોકડી પાસે તરબૂચ વેચતા એક મહિલા જોવા મળ્યા જેઓ ગામડા માંથી કોઈ એકલ દોકલ આવી ચડેલ રાહદારીઓને ગરમીમાં ઠંડુ પાણી પીવડાવી અને તરબૂચ ખવડાવી સેવા આપતા હતા જેઓ ની સેવાકીય પ્રવૃત્તિ ખરેખર કાબિલે તારીફ હતી તેઓ ન તો કોઈ મીડિયા ને બોલાવી પબ્લિસિટી કરાવતા હતા કે ન તો તેઓ ને ખોટી પ્રસિદ્ધ ની ખેવના બસ તેઓ માત્ર સેવા કરતા હતા તેઓ ની સેવાકીય કામગીરી ને વંદન કરી આગળ વધ્યા તો ધરમપુર માં સન્નતા સિવાય ક્યાંય કઈ જોવા મળ્યું નહિ આજ વાત વલસાડ વાસીઓ સમજશે તો લોકડાઉન નો ખરો અમલ કર્યો ગણાશે.