વલસાડ ના મોગરાવાડી વોર્ડ નંબર 4 માં આવેલ શ્વેતા પાર્ક સોસાયટીમાં રસ્તા બાબતે ગતરોજ સત્યન્યૂઝ ઉપર પ્રસારિત થયેલા સમાચારો બાદ તેની અસરો ફેલાઈ હતી અને સોસાયટી ના રહીશો એ જ્યારે ખુદ તંત્ર ને સહકાર આપી 15 ફૂટ નો રસ્તો કાઢી આપવાની વાત કરતા તંત્ર નું કામ આસાન થઈ ગયું હતું. સત્યન્યૂઝ સાથે ની વાતચીત દરમ્યાન સ્થાનિક સભ્યો તેમજ રહીશો એ જણાવ્યું હતું કે રસ્તો બનશે તો ઇમરજન્સી વાહનો આવન-જાવન કરી શકશે અને ટ્રાફિક ની સમસ્યા પણ દૂર થશે. અહીં ના રહીશો એકજુથ જણાયા હતા અને તંત્ર ને સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી.
Sunday, May 19