કોરોના વાયરસ ને હજુપણ લોકો ગંભીરતા થી લેતા નથી અને દેશ ના અગ્રીમ વિજ્ઞાનીઓ ની ટીમે આવુજ ચાલશે તો મેં મહિના માં કોરોના ના ચેપ લાગવાનો આકડો 13 લાખ સુધી જઇ શકે તેવા તાજા અહેવાલ જાહેર કર્યા છે તેમ છતાં લોકો લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટઇનિંગ જાળવતા નથી , માસ્ક અને સેનેતાઈઝર એવોઇડ કરી રહ્યા નું વલસાડ માં સામે આવી રહ્યું છે સત્યડે ની ટીમે વલસાડ શાકભાજી માર્કેટ ની મુલાકત લીધી ત્યારે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વલસાડ શાકભાજી માર્કેટ અહીંના પ્રશાશન ના આદેશ મુજબ બપોરે એક વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ આપ્યો છે જેથી નગરજનો ખરીદી કરી શકે પરંતુ વલસાડમાં શાકભાજી ખરીદનાર ગ્રાહકો તેમજ શાકભાજી વેચતા વિક્રેતાઓ માસ્ક કે સેનેતાઈઝર નો ઉપયોગ નહિ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલુંજ નહિ પરંતુલોકોને એક મીટર નું અંતર જાળવી ઉભા રહેવાનું પણ જણાવ્યું છે પરંતુ શાકભાજી માર્કેટમાં એટલી બધી ભીડ હોય છે કેવું અંતર જળવાતું નહી હોવાથી આવનારા સમય માં અહીંની સ્થિતિ બગડે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે તેવા સમયે વહીવટી તંત્ર નિયમો નું પાલન કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.
Friday, May 17