કોરોના ના વાયરસ ને ખતમ કરવા તંત્ર કામે લાગ્યું છે અને લોકો ને ભીડ માં જમા નહિ થવા સહિત રોજગાર બંધ રાખવાની થયેલી અપીલ બાદ વલસાડ માં 144 ના જાહેર નામ અંગે લોકો અને વેપારીઓ ને ખબર જ નહીં હોવાનું સત્યડે ની તપાસ માં બહાર આવી રહ્યું છે આખું વલસાડ આજે ધમધમતું હતું તે અંગે તંત્ર ને જાણ કરી પગલાં લેવાયા બાદ અહીં ના પારનેરા રોડ ઉપર આવેલ કટારિયા મોટર્સ ચાલુ હોવાની વાત સામે આવતા સત્ય ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરીતો બધું ચાલુ હતું ત્યાર બાદ સત્ય ડે ટીમે મોટર્સ ના હેડ સાથે વાત કરતા તેઓ અજાણ હોવાનું જણાયું હતું બાદમાં સાચી વાત ની ખબર પડતાં જ કટારિયા મોટર્સ તાત્કાલિક બંધ થયું હતું આમ સ્થાનિક તંત્ર ના સંકલન ના અભાવે લોકો 144 મી કલમ થી અજાણ જણાયા હતા.
Friday, May 17