વલસાડ ના રામવાડી વિસ્તાર ની ઘટના સામે આવી છે. અતુલ વિદ્યાલય સ્કૂલની બસ બેફામ બની ગઈ, ચાલક ની ગંભીર ભૂલ ને લઈ થયો મોટો અકસ્માત જ્યારે બસ ચાલક બસ ન્યુત્રલમાં મૂકીને લઘુશંકા માટે ગયો તે સમયે ઉભેલી બસ દોડતી થઈ ગઈ અને ધસમતી બસની નજીક ઉભેલી કાર ને ટક્કર મારી એપાર્ટમેન્ટ ની દીવાલમાં અથડાઈ ગઈ હતી. ઘટનામાં કોઈને જાનહાની થઈ નહીં પરંતુ સવાલ એ છે કે જો બાળકો બસની અંદર હોત તો? રહેઠાણ વિસ્તારમાં બેફામ બનેલી બસે કોઈ ને અડફતે લીધા હોત તો? ભરચક વિસ્તારમાં ટ્યૂશન કલાલિસ પણ ચાલે છે અને આ ઘટના બનતા સ્થાનિકોમાં રોષ ભભૂકયો છે.
Saturday, May 18