વલસાડ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જિલ્લામાં શીત લહેર વ્યાપી જતાં કેરી નાખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ધુમ્મસ અને કમોસમી વરસાદને કારણે ચાલુવર્ષ કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે. વાતાવરણમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારને કારણે છેલ્લા લાંબા સમયથી વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણને લઈ આ વર્ષે પણ કેરી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સતત ચોથા વર્ષે વાતાવરણના ગ્રહણને કારણે કેરીના પાકના નુકસાનને લઈ ખેડૂતોની મહેનત અને ખર્ચ માથે પડે તેમ હોવાથી ચિંતા વ્યાપી ગઈ છે. વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે આંબા પર વ્યાપક પ્રમાણમાં આવેલી મંજરીઓ કાળી પડી જઈ મોરવા ખરી રહ્યા છે. ઠંડા વાતાવરણમાં આ સ્થિતિ સર્જાતા કેરીના વૃક્ષો ઉપર ફૂટેલી મંજરીઓને નુકસાન થવાનો ભય ઉભો થઇ ગયો છે. આંબાવાડીઓમાં માવઠા અને ધુમ્મસને પગલે મોર કાળા પડી જવાની દહેશતથી કેરીનું વિપુલ ઉત્પાદન થવાની ધારણા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. કમોસમી વરસાદરૂપી માવઠાથી કેરીના પાકને નુકસાન થવાની શકયતા છે. કેરીના સારા પાકની આશા પર પાણી ફરી વળતાં સ્વાદરસિયાઓને પણ કેરી આ વર્ષે મોંઘી પડશે. વાતાવરણનાં પલટાનાં કારણે આંબા પરથી કેરીના ગોરવા મોટી સંખ્યામાં ખરી પડ્યાં છે. કેરીનો પાક આ વર્ષે સારો થશે તેવી ખેડૂતોને આશા હતી. શરૃઆતમાં એક તબક્કામાં વલસાડ જીલ્લામાં આવેલી આંબાવાડીમાં મોટા પ્રમાણમાં મંજરીઓ ફૂટી નીકળી હતી. જો કે વાતાવરણમાં આવેલા ફેરફારને લઈ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠુ પડતા તેમજ ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અને માવઠા બાદ છેલ્લા ઘણા દિવસોથી દિવસ દરમિયાન બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો વાદળીયા વાતાવરણને કારણે કેરીના પાકને ગ્રહણ નડયું છે.વાદળીયા વાતાવરણને કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે પણ વાતાવરણમાં આવેલા નોંધપાત્ર ફેરફારને લઈ ખેડૂતો પાકના નુકસાનને લઈ ચિંતીત બન્યા છે. સતત ચોથા વર્ષે કેરીના પાકને માવઠા અને વાદળીયા વાતાવરણ થી નુક્શાન થતા કેરીના ખેડૂતો માં નિરાશા જોવા મળી રહી છે.
Friday, May 17